કલ્યાણપુર તાલુકાના ભાટવડીયા ગામના મૂળ રહીશ અને હાલ જામનગરના ગોકુલનગર વિસ્તારમાં રહેતા ભીખુભાઈ સાજણભાઈ ગોહેલ નામના 55 વર્ષના આધેડ ઉપર ગામના મારખી પિંડારિયા, લખમણ પિંડારિયા, પિયુષ પિંડારિયા, તેમજ બે અજાણ્યા શખ્સો મળી કુલ છ શખ્સોએ તેમની સફેદ કલરની ક્રેટા મોટરકાર મારફતે આવી અને બિભત્સ ગાળો કાઢી, માર મારીને "આજ તો તું બચી ગયો છે. પણ હવે પછી ક્યાંય એકલો મળીશ તો જાનથી મારી નાખીશું"- તેવી ધમકી આપ્યાની ફરિયાદ કલ્યાણપુર પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.
ફરિયાદી ભીખુભાઈના પુત્ર આરોપી પરિવારની એક યુવતી સાથે પ્રેમ લગ્ન કરી અને ઘરેથી ભાગી ગયા હોવાથી આ બાબતનું મન દુઃખ રાખીને ઉપરોક્ત બનાવ બન્યો હોવાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે. જે અંગે પોલીસે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની કાર્યવાહી કરી હતી.
તબિયત લથડતા દખણાદા બારા ગામના યુવાનનું મૃત્યુ
ખંભાળિયા તાલુકાના દખણાદા બારા ગામે રહેતા અનિરુદ્ધસિંહ કેસરસિંહ રાઠોડ નામના 36 વર્ષના ગરાસીયા યુવાનની ગત તા. 23 ના રોજ તબિયત લથડતા તેમને ખાનગી વાહનમાં વધુ સારવાર અર્થે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તા. 24 મી ના રોજ તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ મૃતકના પત્ની સહનબા અનિરુદ્ધસિંહ રાઠોડએ સલાયા મરીન પોલીસને કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર: મુખ્યમંત્રીના આગમન પહેલા ટાઉનહોલમા પોલીસ દ્વારા ચેકીંગ
June 06, 2025 06:40 PMભારતમાં ઈલોન મસ્કની સ્ટારલિંકનો માર્ગ મોકળો, સેટેલાઇટ ઇન્ટરનેટ લાઇસન્સ મળ્યું
June 06, 2025 05:09 PMઅનુસૂચિત જાતિના યુવક-યુવતીઓ માટે વ્યક્તિત્વ વિકાસ અને યોગાસન તાલીમ શિબિરનું આયોજન
June 06, 2025 03:46 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech