ખંભાળિયા નજીક હાઈવેની કામગીરી અર્થે આવતીકાલે છ કલાકનો વીજકાપ

  • April 21, 2025 11:00 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ખંભાળિયા નજીકના હાઈવે પર નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા સર્વિસ રોડમાં નડતરરૂપ વીજ લાઈન શિફ્ટિંગની કામગીરીના હેતુથી મંગળવાર તા. 22 મીના રોજ અશોક અર્બન તથા પાંચવાડી વિસ્તાર હેઠળ આવતા ધરમપુર, બેડીયાવાડી, લાલપુર બાયપાસ રોડ, સિંહણ ચાર રસ્તા અને પાંચવાડી વિસ્તારમાં સવારે 6 થી બપોરે 12 વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રહેનાર હોવાનું વીજ સૂત્રોની એક યાદીમાં જણાવાયું છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application