રાજકોટ માર્કેટ યાર્ડમાં વેપારીઓ તેમજ કમિશન એજન્ટ્સની માંગણીના અનુસંધાને માર્ચ એન્ડિંગના હિસાબી કામકાજ સબબ તા.૨૬થી ૩૧ સુધી છ દિવસની રજા જાહેર કરાઇ છે, આ દિવસો દરમિયાન હરાજી સહિતના તમામ કામકાજ સંપૂર્ણ બંધ રહેશે.
વિશેષમાં રાજકોટ માર્કેટ યાર્ડના ચેરમેન જયેશભાઇ બોઘરાના માર્ગદર્શન હેઠળ સેક્રેટરી બી.આર.તેજાણીએ પ્રસિધ્ધ કરેલા પરિપત્રમાં જણાવ્યું છે કે ચાલુ નાણાંકીય વર્ષ ૨૦૨૪-૨૦૧૨૫ના પૂર્ણ થવામાં છે ત્યારે માર્ચ એન્ડિંગના હિસાબી કામકાજ સબબ આગામી તા.૨૪ માર્ચથી તા.૩૧ માર્ચ સુધી મુખ્ય માર્કેટ યાર્ડ બેડીમાં હરરાજી સહિતના કામકાજ બંધ રહેશે. જ્યારે તા.૧ એપ્રિલથી રાબેતા મુજબ હરાજી સહિતના કામકાજ ચાલુ થશે.
અત્રે ઉલ્લેખનીય છે કે સૌરાષ્ટ્રભરના માર્કેટ યાર્ડમાં માર્ચ એન્ડિંગમાં બે દિવસથી લઇને એક સપ્તાહ સુધીની રજા જાહેર થતી હોય છે, સૌપ્રથમ રાજકોટ માર્કેટ યાર્ડમાં રજા જાહેર થાય છે ત્યારબાદ સૌરાષ્ટ્રના અન્ય યાર્ડ તેને અનુસરીને પોતાની અનુકૂળતા અને જરૂરિયાત મુજબ રજા જાહેર કરતા હોય છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationફ્લાય ઓવરબ્રિજની કામગીરીના પગલે અંબર ચોકડી પાસે વાહન વ્યવહાર આજથી બંધ કરાયો
April 18, 2025 06:21 PMજામનગર પંચકોશી એ ડિવિઝન પોલીસ મથકના પીઆઇ નીકળ્યા સાયકલ યાત્રાએ
April 18, 2025 06:16 PMજામનગરમાં આજે વિશ્વ હેરિટેજ દિવસની ઉજવણી
April 18, 2025 06:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech