પોરબંદરના જ્યુબેલી વિસ્તારમાં ઓવરહેડ ટેન્ક નજીક ભુગર્ભજળ ખેંચી વેચાણ કરતા છ ધંધાર્થીઓને ત્યા ફરી સીલ મરાયા છે.
પોરબંદર નગરપાલિકાના પ્રમુખ ડો. ચેતનાબેન તિવારીએ આપેલી માહિતી પ્રમાણે વર્ષ ૨૦૧૭માં જ્યુબેલીના ઓવરહેડ ટેન્ક પાસે ભુગર્ભજળ ખેંચીને પાણીનુ ગેરકાયદેસર વેચાણ થવાની ફરીયાદો થતી હતી અને એ સમયના કોંગ્રેસના નેતા અને હાલના ભાજપના ધારાસભ્ય અર્જુનભાઇ મોઢવાડીયા તથા રામદેવભાઇ મોઢવાડીયા સહિત કોંગી આગેવાનોએ જે તે સમયે જનતા રેડ પાડી હતી અને પાણીનુ વેચાણ થતુ હોવાના મુદે કોર્ટમાં કાર્યવાહી કરી હતી એ સમયે પાણીનુ વેચાણ કરતા લોકોએ લેખિતમાં કોર્ટને પાણી નહી વહેચવાની ખાત્રી આપતા તેમના સીલ ખોલી દેવામા આવ્યા હતા.
ત્યારબાદ ઇ.સ. ૨૦૨૩ના સપ્ટેમ્બર મહિનામાં ડો. ચેતનાબેન તિવારી નગરપાલિકાના પ્રમુખ બન્યા પછી ઓકટોબર મહિનામાં પોરબંદરના જુબેલી તથા બોખીરા વિસ્તારમાં છેલ્લા ઘણા સમય થી અનેક મકાનોના કુવા,ડંકી અને બોર માં પાણી રહેતું ન હોવાની પાલિકા ને અનેક ફરિયાદ મળી હતી અને તે જ વિસ્તાર માં કેટલાક લોકો દ્વારા પોતાની જગ્યા માં મોટા બોર કરી અને પાણી ખેંચી ટેન્કર તથા રીક્ષા મારફત વેચાણ થતું હોવાથી આ સમસ્યા સર્જાઇ હોવાની પણ રજૂઆત થઇ હતી આથી પાલિકા પ્રમુખ ડો. ચેતનાબેન તિવારી એ તપાસ હાથ ધરતા તે સમયે એજ વિસ્તાર માં છ સ્થળો એ થી મોટા બોર કરી ભૂગર્ભ જળ ખેંચી ટેન્કર અને રીક્ષા મારફત પાણી નું વેચાણ થતું હોવાનું સામે આવ્યું હતું. આથી તેઓએ પાણી નું વેચાણ કરતા નિલેશ રામદે ખૂંટી,લખમણભાઈ વદર, સવીબેન દેવશીભાઈ ઓડેદરા,સામતભાઈ કેશવાલા અને રાજુ દેવશી ઓડેદરા અને સ્વ.પ્રેમજીભાઇના પુત્રને લેખિત નોટીસ પાઠવી જણાવ્યું હતું કે તેઓના કબજા હેઠળની મિલકતમાં પાણીના બોર કરી તેમાંથી ભુગર્ભ જળ ખેંચી પાણીના ટેન્કર ભરાવી ને વેચાણ કરતા કરવામાં આવે છે જેથી આ વિસ્તારના ભુગર્ભ જળમાં ઘટાડો થતો હોવાના કારણે આજુબાજુના રહેવાસીઓના ઘરના કુવાઓ,બોરમાં પાણી રહેતું નથી આથી ચાર દિવસમાં ભુગર્ભ જળ ખેંચવાનું બંધ કરવા જણાવ્યું હતું તેમ છતાં આ ધંધાર્થીઓ એ વેપલો ચાલુ રાખતા પાલિકા પ્રમુખે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે તમામ ૬ સ્થળો એ સીલ મારી દેવાની કાર્યવાહી હાથ ધરી હતી.
પરંતુ ત્યારબાદ પણ એ ધંધાર્થીઓ સુધર્યા નહી હોવાથી ફરીથી પાણીનો ધંધો શ કરી દીધો હતો અને તેના કારણે ભુગર્ભજળ ખેંચાઇ જતા ફરીથી આજુબાજુના લોકોએ તાજેતરમાંજ નગરપાલિકાના પ્રમુખ ડો. ચેતનાબેન તિવારીને ફરીયાદ કરી હતી અને વિડીયોના પુરાવા સાથે પ્રૂફ આપ્યા હતા કે ફરીથી એ ધંધાર્થીઓએ પાણીનો ધંધો શ કરી દીધો છે.
તેથી આ અંગે ફરીથી પાલિકાપ્રમુખ દ્વારા ચીફઓફિસર મનન ચતુર્વેદી સાથે થયેલી ચર્ચા બાદ સીલ મારવાનો આદેશ અપાતા ફરીથી આ જગ્યાએ સીલ મારવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
પાલિકાના સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગત પ્રમાણે ધંધાર્થીઓએ કોર્ટનો અનાદર કર્યાનુ જણાઇ રહ્યુ છે તેથી તે અંગે પણ ક્ધટેમ્પટ ઓફ કોર્ટ હેઠળ કાર્યવાહી થઇ શકે છે અને આ અંગે જવાબદારો સામે કડકમાં કડક પગલા ભરવાની હિલચાલ થઇ રહી હોવાનું જાણવા મળ્યુ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચીનની 'બેટવુમન'એ શોધ્યો બેટ કોરોના વાયરસ
February 24, 2025 11:07 AMશિવ શોભાયાત્રાનું મુખ્ય આકર્ષણ ભગવાન શિવજીની પાલખી
February 24, 2025 11:05 AMગુજરાતમાં ખોરાક પાછળ ખર્ચ થાય છે 45 ટકા જેટલી આવક
February 24, 2025 11:04 AMફેબ્રુઆરીમાં જ ઉનાળો બેસી ગયો હોય તેવી ગરમી: રાજકોટમાં 37.5 ડિગ્રી
February 24, 2025 11:02 AMIPO લોન્ચ કરવામાં ભારત વૈશ્વિક અગ્રણી ,2024માં કંપનીઓએ 19 બિલિયન ડોલર એકત્ર કર્યા
February 24, 2025 10:57 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech