શહેરમાં સ્ત્રી શક્તિઓ દ્વારા સિંદૂર યાત્રા

  • May 20, 2025 04:07 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભાવનગરના પ્રજા વત્સલ મહારાજા કૃષ્ણકુમારસિંહજીની ૧૧૩મી જન્મજયંતીના રોજ તા. ૧૯ને સોમવારે સાંજે ભાવનગરની સ્ત્રીશક્તિઓ દ્વારા સૈન્યના જવાનોનો ઉત્સાહ વધારવા માટે ભવ્ય સિંદૂર યાત્રા કાઢવામાં આવી હતી.આ સિંદૂર યાત્રા મોતીબાગ ટાઉનહોલથી શરૂ થઈ અને શહીદ સ્મારક ખાતે પૂર્ણ થઈ હતી.આ સિંદૂર યાત્રામાં રાજકીય પક્ષ અને વિવિધ સમાજ અને વિવિધ સંસ્થાઓ સાથે સંકળાયેલ ભાવનગરની સ્ત્રીશક્તિઓ હાથમાં તિરંગા અને દેશભક્તિના સૂત્રોચ્ચારો સાથેની સિંદૂર યાત્રા નીકળી હતી. પહેલગામ આતંકી હુમલાના મૃતક પિતા-પુત્રના પત્ની તેમજ માતા એવા કાજલબેન પરમાર પણ આ સિંદૂર યાત્રામાં ઉપસ્થિત રહ્યા હતાં.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News