દ્વારકાના જગતમંદિરમાં ઠાકોરજીના શૃંગાર દર્શન-સૂકા મેવાનો મનોરથ

  • July 05, 2024 11:29 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

યાત્રાધામ દ્વારકાના જગતમંદિરમાં ભગવાન દ્વારકાધીશજીના શૃંગાર દર્શન સમયે ભાવિક પરિવાર દ્વારા પૂજારીના સૌજન્યથી ઠાકોરજીને સુકા મેવાના ભોગનો મનોરથ યોજવામાં આવ્યો હતો. ગુરૂવારે કેસરી વાઘાના દૈદિપ્યમાન શૃંગાર સાથે સુકા મેવા મનોરથનો મોટી સંખ્યામાં ભાવિકોએ પ્રત્યક્ષ ઉપરાંત ઓનલાઈનના વિવિધ માધ્યમોથી પણ લાખો કૃષ્ણ ભકતોએ આ દિવ્ય દર્શનને નિહાળ્યા હતા. સાંજે ઠાકોરજીના ઉત્થાપન સમયે પણ ઠાકોરજીને દિવ્ય પુષ્પશૃંગાર યોજવામાં આવ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application