સલાયા લોહાણા મહાજન આયોજિત વ્રજયાત્રામાં બુધવારે મનોરથ યોજાયો
સલાયા લોહાણા મહાજન દ્વારા રઘુવંશી પરિવારો દ્વારા નિઃશુલ્ક વ્રજયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જે શામળાજી, નાથદ્વારા, પુષ્કર, મથુરા થઈ અને આખા વ્રજમાં યાત્રા કરી રહી છે. આ દરમ્યાન બુધવારે મથુરા મુકામે શ્રી વિશ્રામ ઘાટમાં કિસુમુ નિવાસી શેઠ જયંતભાઈ વીઠલદાસ બદિયાણી દ્વારા સ્વ. ભારતીબેન જયંતભાઈ બદિયાણી તથા સ્વ. જ્યોતિબેન શશિભાઈ બદિયાણીની સ્મૃતિમાં યમુના મહારાણીજીનો ચુંદડી મનોરથ ધામધૂમપૂર્વક યોજ્યો હતો. જેમાં ચુંદડીજીની પૂજા અર્ચના સલાયા લોહાણા મહાજનનાં પ્રમુખ ભરતભાઈ લાલ પરિવાર દ્વારા કરવામાં આવી હતી.
આ પૂજા-અર્ચના મથુરાના મોહનભાઈ ગોર દ્વારા કરાવવામાં આવી હતી. ત્યારબાદ આ સંઘ વાઝતે ગાજતે ઘાટ ઉપર પહોંચી અને 51 ચુંદડીનો મનોરથ કર્યો હતો. તેમજ શ્રી યમુનાજીને અન્નકૂટ પ્રસાદ ધરાયા હતા. આ તકે તમામ રઘુવંશી યાત્રાળુઓ ઉત્સાહભેર આં મનોરથનો પૂજનનો લાભ લીધો હતો. આ શુભ અવસરે સલાયા લોહાણા મહાજનના પ્રમુખ ભરતભાઇ લાલ દ્વારા એમના માતૃશ્રી પ્રેમકુવરબેન દામોદર લાલની સ્મૃતિમાં મથુરા પધારતા યાત્રાળુઓની સુવિધા વધે એ માટે શ્રી પુરુષોત્તમ ગોરને રૂમ બનાવવા માટે રૂા. 1,51,000/- નું અનુદાન કર્યું હતું. આમ આ સુંદર આયોજન બદલ લોહાણા મહાજન સલાયાને ઠેર-ઠેરથી સુભેક્ષાઓ મળી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકાલાવડમાં યુવાન પર ધોકાથી હુમલો કરી ધમકી દીધી
April 24, 2025 10:55 AMભારતે પાકિસ્તાનના લશ્કરી રાજદ્વારીઓને પર્સોના નોન ગ્રેટા નોટ મોકલી, સાદ અહેમદ વારચને સમન્સ
April 24, 2025 10:55 AMપાકિસ્તાન મોત ભાળી ગયું, અરબી સમુદ્રમાં મિસાઇલ કવાયત શરુ કરી દીધી
April 24, 2025 10:50 AMપાકિસ્તાન થરથર્યું: શાહબાઝ શરીફે રાષ્ટ્રીય સુરક્ષા સમિતિની ઈમરજન્સી બેઠક બોલાવી
April 24, 2025 10:38 AMરાજકોટ બસપોર્ટમાં ખુરશીઓ ઘટાડાઇ; મુસાફરોએ ગ્રાઉન્ડ ફ્લોર પર બેસવાનું અથવા તો ઉભા રહેવાનું
April 24, 2025 10:34 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech