ખંભાળીયા યાર્ડમાં નવા ધાણાની આવકના શ્રી ગણેશ

  • January 17, 2024 12:43 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભાવ ૬૬૬૬ બોલાયા

ખંભાળિયા સહિત દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મુખ્ય વ્યવસાય તેમજ વિવિધ પ્રકારની આવકનો આધાર સ્ત્રોત ખેતી છે. અનેક ખેડૂતો ખેત વ્યવસાય સાથે સંકળાયેલા છે. ત્યારે ગત વર્ષે જીરુ બાદ આ વખતે ધાણાની બજાર ઊંચકાતા આજરોજ અહીંના માર્કેટિંગ યાર્ડમાં એક ખેડૂતને હરાજી મુહૂર્તમાં પ્રતિ મણ રૂ. ૬૬૬૬ બોલાઈ ગયા છે.
ખંભાળિયાના માર્કેટિંગ યાર્ડ ખાતે તાજેતરમાં નવા ધાણાની આવક શરૂ થવા પામી છે. આ નવી આવક સાથે ધાણાના મુહૂર્તના સોદા આજરોજ અહીંના યાર્ડમાં થયા હતા. યાર્ડમાં આવેલા ત્રિશુલ એન્ટરપ્રાઇઝ ખાતે નવી ફોટ ગામના ખેડૂત ભીમશી કરસનભાઈ આંબલીયા દ્વારા તેમની ખેત જણસની ધાણી લાવવામાં આવી હતી. જેની હરાજીમાં આજે મુહૂર્તમાં પ્રતિ મણ રૂપિયા ૬૬૬૬ લેખે ભાવ બોલાઈ ગયો હતો. આ ખરીદી અહીંની ગણેશ ટ્રેડિંગ નામની પેઢી દ્વારા કરવામાં આવી હતી. આ ભાવ મેળવીને જગતનો તાત ખુશખુશાલ જોવા મળ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application