ઉદ્ધવના મંચ પરથી બાલ ઠાકરેનું લાઈવ ભાષણ જોઈને શિવસૈનિકો દંગ રહી ગયા

  • April 17, 2025 11:13 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
શિવસેના (ઉદ્ધવ ઠાકરે) એ ગઈકાલે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ) નો ઉપયોગ કરીને પાર્ટીના સ્થાપક બાલ ઠાકરેનો અવાજને રિક્રિએટ કર્યો. એઆઈની મદદથી બાલ ઠાકરેના અવાજમાં શિવસૈનિકોને ભાષણ સંભળાવવામાં આવ્યું.


આ ભાષણ દ્વારા મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેના નેતૃત્વ હેઠળ ભાજપ અને શિવસેના પર નિશાન સાધવામાં આવ્યું હતું પરંતુ ભાજપ રાજ્ય એકમના પ્રમુખ ચંદ્રશેખર બાવનકુલેએ તેને બાલિશ કૃત્ય ગણાવ્યું.


આ ભાષણ નાસિક રેલીમાં આપવામાં આવ્યું હતું. આ 13 મિનિટના ભાષણની શરૂઆત બાલ ઠાકરેની પરિચિત શૈલી ‘મારા હિન્દુ ભાઈઓ, બહેનો અને માતાઓ’ ના ઉદ્ઘોષ સાથે થઈ હતી. શિવસેના (યુબીટી) ના મતે, આ ભાષણ દ્વારા શિવસેનાએ બતાવ્યું કે જો બાલ ઠાકરે જીવતા હોત તો તેમણે આ શૈલીમાં ભાષણ આપ્યું હોત. જોકે, આ સમય દરમિયાન બાલા સાહેબ ઠાકરેનો અવાજ સાંભળીને શિવસૈનિકો સ્તબ્ધ થઈ ગયા.


ભાજપના પ્રદેશ પ્રમુખ ચંદ્રશેખર બાવનકુલેએ તેને બાલિશ કૃત્ય ગણાવ્યું અને કહ્યું કે આજે બાલા સાહેબના અવાજનો ઉપયોગ એ જ વિચારધારા સાથે ઉભા રહેવા માટે થઈ રહ્યો છે જેની સામે તેમણે પોતાનું આખું જીવન લડ્યું હતું. તેમણે કહ્યું કે જો બાલા સાહેબ આજે જીવતા હોત તો તેમણે આવા લોકોને લાત મારી હોત.


બાવનકુલેએ ઉદ્ધવ ઠાકરે પર કટાક્ષ કરતા કહ્યું કે કોઈ તમારો અવાજ સાંભળતું નથી, તેથી ઉદ્ધવ જૂથ જેવા પક્ષો જ બાલાસાહેબ ઠાકરેના અવાજમાં પોતાના વિચારો વ્યક્ત કરવાનું આ બાલિશ કૃત્ય કરી શકે છે. તેમણે કહ્યું કે ઓછામાં ઓછું તેમનો અવાજ એ બાબતો સામે ન વાપરવો જોઈએ જેના માટે બાલા સાહેબે પોતાનું આખું જીવન સમર્પિત કર્યું હતું. ઓછામાં ઓછું તેમના મૃત્યુ પછી તેમના અવાજનો આ રીતે દુરુપયોગ ન કરો



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application