અંધજનો માટે શ્રેષ્ઠ ફાળો એકત્ર કરવા બદલ લોકશાળા મણારને શિલ્ડ એનાયત

  • September 09, 2024 02:54 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાષ્ટ્રીય અંધજન મંડળ ભાવનગર જીલ્લા શાખા અને અંધ ઉદ્યોગ શાળા ભાવનગર ના સંયુક્ત ઉપક્રમે વર્ષ ૨૦૨૩-૨૪માં અંધજનો માટે શ્રેષ્ઠ ફાળો એકત્રિત કરનાર સંસ્થાઓને સન્માનવાનો કાર્યક્રમ તારીખ ૭-૯-૨૦૨૪ને શનિવારના દિવસે અંધ ઉદ્યોગ શાળા ભાવનગર ખાતે યોજાઈ ગયો, જેમાં સમગ્ર ભાવનગર જિલ્લામાં અંધજનો માટે શ્રેષ્ઠ રૂપિયા ૧,૩૬,૦૬૧ નો ફાળો એકત્રિત કરવા બદલ ગ્રામ દક્ષિણા મૂર્તિ લોકશાળા મણારને કેન્દ્રીય મંત્રી  નિમુબેન બાંભણિયા અને અંધ ઉદ્યોગ શાળાના સેક્રેટરી લાભુભાઈ સોનાણી ના હસ્તે શિલ્ડ એનાયત થયો હતો. આ પ્રસંગે સંસ્થાના આચાર્ય ડાહ્યાભાઈ ડાંગર, ગજજ ના પ્રોગ્રામ ઓફિસર  કંચનબેન થડોદા, ઉચ્ચતર માધ્યમિક વિભાગના મદદનીશ શિક્ષક અંકુરભાઈ શાહ અને શાળામાં શ્રેષ્ઠ ફાળો એકત્રિત કરનાર પ્રથમ ત્રણ ટુકડીઓના પ્રતિનિધિ તરીકે વિદ્યાર્થીની બહેનો ઉપસ્થિત રહ્યા. છેલ્લા ઘણા વર્ષોથી આ શાળા સમગ્ર જિલ્લામાં દર વર્ષે શ્રેષ્ઠ ફાળો એકત્રિત કરે છે. ટ્રસ્ટીગણ, નિયામક  તથા આચાર્યએ સમગ્ર સંસ્થા પરિવારને અભિનંદન પાઠવ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application