રાષ્ટ્રીય અંધજન મંડળ ભાવનગર જીલ્લા શાખા અને અંધ ઉદ્યોગ શાળા ભાવનગર ના સંયુક્ત ઉપક્રમે વર્ષ ૨૦૨૩-૨૪માં અંધજનો માટે શ્રેષ્ઠ ફાળો એકત્રિત કરનાર સંસ્થાઓને સન્માનવાનો કાર્યક્રમ તારીખ ૭-૯-૨૦૨૪ને શનિવારના દિવસે અંધ ઉદ્યોગ શાળા ભાવનગર ખાતે યોજાઈ ગયો, જેમાં સમગ્ર ભાવનગર જિલ્લામાં અંધજનો માટે શ્રેષ્ઠ રૂપિયા ૧,૩૬,૦૬૧ નો ફાળો એકત્રિત કરવા બદલ ગ્રામ દક્ષિણા મૂર્તિ લોકશાળા મણારને કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણિયા અને અંધ ઉદ્યોગ શાળાના સેક્રેટરી લાભુભાઈ સોનાણી ના હસ્તે શિલ્ડ એનાયત થયો હતો. આ પ્રસંગે સંસ્થાના આચાર્ય ડાહ્યાભાઈ ડાંગર, ગજજ ના પ્રોગ્રામ ઓફિસર કંચનબેન થડોદા, ઉચ્ચતર માધ્યમિક વિભાગના મદદનીશ શિક્ષક અંકુરભાઈ શાહ અને શાળામાં શ્રેષ્ઠ ફાળો એકત્રિત કરનાર પ્રથમ ત્રણ ટુકડીઓના પ્રતિનિધિ તરીકે વિદ્યાર્થીની બહેનો ઉપસ્થિત રહ્યા. છેલ્લા ઘણા વર્ષોથી આ શાળા સમગ્ર જિલ્લામાં દર વર્ષે શ્રેષ્ઠ ફાળો એકત્રિત કરે છે. ટ્રસ્ટીગણ, નિયામક તથા આચાર્યએ સમગ્ર સંસ્થા પરિવારને અભિનંદન પાઠવ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરની જીજી હોસ્પિટલમાં સિક્યુરિટી ગાર્ડ સાથે કરી બબાલ, દંપતી સામે ગુનો નોંધાયો
February 24, 2025 01:26 PMજામનગરમાં કચરા ગાડીમાં કેરણ ભરવાનું કારસ્તાન
February 24, 2025 01:22 PMજામનગરમાં સાઈકૃપા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું
February 24, 2025 01:16 PMહવે વોટ્સએપ દ્વારા કરી શકાશે ઈ-FIR, અહીં નોંધાઈ પહેલી ફરિયાદ, પોલીસે કરી કાર્યવાહી
February 24, 2025 01:13 PMરાજકોટ : આજી નદી 2માં ગાંડીવેલનું સામ્રાજય, દૂર કરવા માટે મનપાએ હાથ ધરી કામગીરી
February 24, 2025 12:58 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech