પોરબંદરના ગ્રામ્ય પંથકની એક મહિલા માનસિક અસ્વસ્થતા ને કારણે ઘરેથી નીકળી ગઈ હતી જેને સખી વન સ્ટોપ સેન્ટર ખાતે આશ્રય આપવામાં આવ્યો છે અને પરિવારજનો સાથેના સંપર્કની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
પોરબંદર જિલ્લાના એક ગામની વૃદ્ધ મહિલા કોઈ કારણોસર ઘર છોડી બહાર નીકળી જતા રાણા વડવાળા ગામે પહોંચી જતા એક જાગૃત નાગરિકે ૧૮૧ ની મદદ માગી હતી પોરબંદર ૧૮૧ની ટીમે કાઉન્સિલિંગ કરી સખી વન સ્ટોપ સેન્ટરમાં આશ્રય આપવામાં આવ્યો છે. પોરબંદર ૧૮૧ ની ટીમ ફરી એક વખત મહિલાઓની સખી તરીકેની જવાબદારી નિભાવી છે પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકાના રાણા વડવાળા ગામેથી એક જાગૃત નાગરિકનો ૧૮૧ માં કોલ મળ્યો હતો જાગૃત નાગરિકે જણાવ્યું હતું કે એક વૃદ્ધ મહિલા નિ:સહાય હાલતમાં ભૂલા પડી ગયા હોય જેથી તમે મદદે આવો તેમ જણાવતા પોરબંદર ૧૮૧ની ટીમને કોલ મળતાની સાથે રાણા વડવાળા ગામે સ્થળ ઉપર પહોંચી હતી.
સ્થળ ઉપર પહોંચતા જે જાગૃત નાગરિક દ્વારા ૧૮૧ માં કોલ કરવામાં આવ્યો હતો. તેમના નિવાસ સ્થાને વૃદ્ધ મહિલા બેસેલા હતા ત્યાં જઈને પોરબંદર ૧૮૧ની ટીમે વૃદ્ધ મહિલા સાથે વાતચીત કરી હતી અને કાઉન્સિલિંગ શ કર્યું હતું. કાઉન્સિલિંગ દરમિયાન મહિલાની પાસે રહેલી થેલીમાંથી આધારકાર્ડ પાસબુક વગેરે વસ્તુ મળી આવી હતી.વૃદ્ધ મહિલા ચાર પાંચ દિવસથી ઘરેથી નીકળી ગયેલા છે તેમને એક પુત્ર અને પુત્રી છે પણ તેઓ હાલ એકલવાયું જીવન પસાર કરે છે તેમ જાણવા મળ્યું હતું મહિલાનું કાઉન્સિલિંગ દરમિયાન તે પણ જણાવ્યું રહ્યું હતું કે મહિલાની માનસિક સ્થિતિ અવસ્થ હતી આ સાથે આ વૃદ્ધ મહિલા પાસે કોઈપણ પારિવારિક મોબાઈલ નંબર ન હોવાથી નિ: સહાય રહેલ ૬૯ વર્ષની મહિલાને આશ્રય આપવા માટે પોરબંદરના સખી વોન સ્ટોપ સેન્ટર ખાતે લઈ જવામાં આવ્યા છે અને ત્યાં આશ્રય આપવામાં આવ્યો છે. આ કામગીરીમાં કાઉન્સેલર નિરૂપાબેન બાબરીયા અને કોન્સ્ટેબલ કિરણબેન ચાવડા રોકાયેલા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application'યુદ્ધવિરામ નહીં તો વેપાર નહીં', ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે ટ્રમ્પનું મોટું નિવેદન
May 12, 2025 07:59 PMપ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું રાષ્ટ્રને સંબોધન...Live
May 12, 2025 07:23 PMધ્રોલમાં રાષ્ટ્ર માટે સરકારી હોસ્પિટલ ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું
May 12, 2025 06:59 PMઆજથી દેશભરના ૩૨ એરપોર્ટ ખૂલ્યા, જામનગર એરપોર્ટ ડિરેક્ટરે વિગતો આપી
May 12, 2025 06:56 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech