રાજકોટ મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલના આદેશથી સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાની ટીમ ઉપલાકાંઠે ત્રાટકી હતી અને જાહેરમાં ગંદકી ફેલાવવા બદલ ઉપલાકાંઠે શકિત ટી સ્ટોલ અને ગમારા પાન નામની બે દુકાનો સીલ કરવામાં આવી હતી.વિશેષમાં રાજકોટ મહાપાલિકાના ચીફ પર્યાવરણ ઇજનેરએ વિગતો જાહેર કરતા જણાવ્યું હતું કે, રાજકોટ શહેરમાં ઉપલાકાંઠે ભાવનગર રોડ ઉપર પટેલ પાન પાસેના શકિત ટી સ્ટોલ અને ગમારા પાન દ્રારા જાહેરમાં સ્વચ્છતા જાળવતા ન હોવાથી અને ગંદકી સબબ ન્યુસન્સ ફેલાવતા હોવાથી જાહેર આરોગ્યને નુકસાન કરે તે રીતે જાહેર ગંદકી તેમજ કચરો કરવામાં આવતો હોય, આ બાબતે નોટીસ આપી વહીવટી ચાર્જની વસુલાત કરવામાં આવી હતી. આ ઉપરાંત આ શોપના સંચાલકોને જાહેરમાં ગંદકી ન કરવા તેમજ સ્વચ્છતા જાળવવા અવાર–નવાર સુચના આપવામાં આવેલ. તેમ છતાં જાહેર સ્વચ્છતા ન જળવતા તા.૯–૪–૨૦૨૪ના રોજ સ્થળ તપાસ કરતાં શોપની આસપાસ ખુબજ ગંદકી તેમજ કચરો જોવા મળેલ હતો. જેથી તા. ૯–૪–૨૦૨૪ના શકિત ટી સ્ટોલ અને ગમારા પાન સંચાલકોને નોટીસ આપીને ધી જીપીએમસી એકટ–૧૯૪૯ની કલમ–૩૭૬–એ હેઠળ સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી. જાહેરમાં ગંદકી ફેલાવતાં આસામીઓ તેમજ ધંધાર્થીઓને નોટીસ આપી વહીવટી ચાર્જ વસુલવા તેમજ તેમાં સુધારો ન જણાતા આવા આસામીઓ–ધંધાર્થીઓ સામે તેની દુકાન–ધંધાનું એકમ સીલ કરવા સુધીના આકરા પગલાં લેવામાં આવશે. જે બાબતે નોંધ લેવા જાહેર જનતાને સુચિત કરવામાં આવે છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationનરેન્દ્ર મોદીના નેતૃત્વ અને માર્ગદર્શનમાં ગુજરાતની વણથંભી વિકાસ યાત્રાના સફળ 23 વર્ષ પૂર્ણ
October 06, 2024 07:01 PMએક્ઝિટ પોલના આંકડા વિશે ભાજપના નેતા બ્રિજભૂષણ સિંહે કહ્યું, 'હરિયાણા વિશે બોલવાની મનાઈ છે'
October 06, 2024 01:59 PMબેન્જામિન નેતન્યાહુએ ખામેનીની ધમકી પર કહ્યું, હુમલાનો જવાબ આપવો એ અમારો અધિકાર...
October 06, 2024 11:00 AMમુંબઈના ચેમ્બુર વિસ્તારમાં એક ઘરમાં ભીષણ આગ લાગતા, એક જ પરિવારના 7 લોકોના મોત
October 06, 2024 10:41 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech