ફૂડ લાયસન્સના અભાવે ગોકુલનગર પાણાખાણ વિસ્તારની નોનવેજની સાત દુકાનો બંધ કરાવાઈ

  • April 26, 2025 11:28 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અગાઉ આ વિસ્તારના લોકોએ ગેરકાયદે દુકાનો બંધ કરાવવા રજૂઆત કરી હતી


જામનગર મહાનગરપાલિકાની ફુડ શાખા દ્વારા ગોકુલનગર વિસ્તારમાં નોનવેજની દુકાનોમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું જ્યાં હાયજેનીક કન્ડિશનનો અભાવ તેમજ ફૂડ લાઇસન્સ મેળવેલ નહી હોવાથી સાત દુકાનો બંધ કરાવાઇ હતી અને ફૂડ લાયસન્સ મેળવી લેવા સૂચના આપવામાં આવી હતી. 


જામનગર મહાનગરપાલિકાની ફૂડ શાખાના અધિકારી ડી.બી.પરમાર અને એન.પી. જાસોલિયા તથા તેની ટીમ દ્વારા શહેરના ગોકુલનગર પાણાખાણ  વિસ્તારમાં નોનવેજની સાત દુકાનોમાં આકસ્મિક ચેકિંગ કરવામાં આવ્યું હતું. જ્યાં સ્વચ્છતાનો અભાવ અને અન-હાઇજેનીક ક્ધડીશન જોવા મળી હતી તેમજ ફૂડ વિભાગમાંથી લાયસન્સ  મેળવવા આવ્યું નહી હોવાથી આ સાતેય દુકાનોને બંધ કરાવી દેવામાં આવી હતી અને હાઈજેનિક કન્ડિશન મેન્ટેન કરવા તથા ફૂડ વિભાગનું લાયસન્સ મેળવી લેવાયા પછી જ દુકાનો ખોલવાની સૂચના આપવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application