પાલિતાણામાં બે જૂથ વચ્ચે અથડામણમાં સાતને ઈજા

  • April 17, 2025 02:34 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


 પાલિતાણાના હાથીધાર ૫૦ વારિયા વિસ્તારમાં  ગત મોડી રાત્રે બે જૂથ વચ્ચે ઝઘડો થયો હતો અને બન્ને જૂથ મારામારી પર આવી ગયા હતા. જ્યાં આ બનાવ બન્યો તે વિસ્તાર પાલિતાણા ટાઉન અને રૂરલ પોલીસ  મથક ખૂબ જ નજીક છે ત્યાં આ બનાવથી   જાણે પોલીસનો કોઈ ડર જ ન હોય તેવું ચિત્ર લોકોના મનમાં ઉપસ્યું હતું. બન્ને જૂથ વચ્ચે થયેલી આ મારામારીમાં પ્રાથમિક વિગત મુજબ ૭ વ્યક્તિને ઈજા થઈ હોવાનું જાણવા મળ્યું  હતું. ૭ ઘાયલમાંથી પાંચ ઈજાગ્રસ્તને ભાવનગર વધુ સારવાર માટે રીફર કરાયા હતા. જ્યારે અન્યને સામાન્ય ઈજા હોઈ સારવાર 
આપવામાં આવી હતી. ઈજાગ્રસ્તોમાં આશીફ રાવમા, ઈશાદ રાવમા, સમદ રાવમા, હમદ બહેમદ, અમન પઠાણ, સમીર પઠાણ અને હંસાબેન પરમાર હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે બન્ને પક્ષની ફરિયાદ લેવાની તજવીજ શરૂ કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application