રાજીવનગરમાં તંત્રના પાપે પાણીની રેલમછેલ

  • May 12, 2025 03:16 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પોરબંદરના રાજીવનગર વિસ્તારમાં સોમવારે સવારે વધુ એક વખત પાણીની પાઇપલાઇન તુટી છે,૨૧ દિવસમાં પાંચમી વખત આ પાઇપલાઇન તુટતા મોટીમાત્રામાં પાણી ઢોળ થયું છે. 
એક બાજુ સરકાર પાણી બચાવવા માટે અપીલ કરી રહી છે બીજી બાજુ પોરબંદરમાં જ તંત્રની બેદરકારીને કારણે મોટી માત્રામાં પાણી વેડફાઈ રહ્યું છે.પોરબંદર શહેરના રાજીવનગરમાં ડો. ગઢવી વસવાટ કરે છે તે શેરીમાં છેલ્લા ૨૧ દિવસથી એક જ જગ્યાએ પાંચમી વખત પાણીની લાઈન તુટી છે અને પાણીનો ભારે વેડફાટ થઈ રહ્યો છે,
તંત્રનું વારંવાર ધ્યાન દોરવામાં આવ્યુ હોવા છતાં વ્યવસ્થિત રીતે સમારકામ થતું નથી અને તેના લીધે પાણી ઢોળ થાય છે.પાણી બચાવવા માટે હવે મહાનગરપાલિકાના તંત્રએ ગંભીરતાથી કામગીરી કરવી જરૂરી બની છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application