ભાવનગરમાં બે યુવાનોએ જુદાજુદા કારણોસર ગળે ફાંસો ખાઈને જીવન ટુંકાવી લીધુ હતુ. બંનેને હોસ્પિટલમાં ખસેડીને પીએમ સહીતની આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
આપઘાતની પ્રથમ ઘટનામાં શહેરના વડલા પાસે આવેલા એસબીઆઈ બેન્ક ની સામે રેલવેના બંગલા નંબર ૩૦૫ એમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા શિવમકુમારે કોઈ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો, જેની જાણ થતા પોલીસનો કાફ્લો ઘટના સ્થળે પહોંચી મૃતદેહ નો કબજો મેળવી પીએમ માટે ખસેડી તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક મળતી વિગતો અનુસાર યુવાને પારિવારિક પ્રશ્નોને લઈને પગલુંભર્યું હોવાનું તેની પાસેથી મળી આવેલ સુસાઈડ નોટમાંથી જાણવા મળ્યું હતું.પોલીસે સ્યુસાઈડ નોટ કબ્જે કરી કાર્યવાહી હાથ ધરી હતી.
જયારે બીજા બનાવમાં કુંભારવાડામાં રહેતા પ્રભુભાઈ ખિમજીભાઈ ખોખાણી (ઉ.૪૦)એ કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરે ગળે ફાંસો ખાઈ લેતા સર ટી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યા તેઓનુ સારવાર દરમિયાન મૃત્યુ થયુ હોવાનુ જાહેર કરવામાં આવ્યુ હતુ. મૃતકના મોટા ભાઈ રાજુભાઈએ જણાવ્યુ હતુ કે, કડિયા કામ કરતા પ્રભુભાઈ ક્યારેક કામ જતા, ક્યારેક ન જતા દરમ્યાન ચિંતામાં આવીને ઘરે દુપટ્ટો ઈગલ સાથે બાંધીને આપઘાત કરી લીધો હતો. ઘરના સૌ બહાર કામે ગયા હતા, ત્યારે આ પગલુ ભર્યું હતુ. નશો કરવાની પણ આદત હોવાનુ તેઓએ જણાવ્યુ હતુ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજીએસટી અપિલેટમાં અપીલના ફિઝિકલ ફાઈલિંગની જોગવાઈની આશા રાખતા વેપારીઓ તથા સલાહકારો
April 29, 2025 02:44 PMગીરગંગા ટ્રસ્ટના કાર્યની નોંધ લેતું કેન્દ્ર સરકારનું જળ બોર્ડ
April 29, 2025 02:34 PMપારૂલ યુનિ.ને ગુજરાત સરકાર દ્રારા સેન્ટર ઓફ એકસલન્સમાં દરજજો
April 29, 2025 02:20 PMઅમદાવાદના મિનિ બાંગ્લાદેશ તરીકે ઓળખાતા ચંડોળા તળાવ વિસ્તારમાં મેગા ડિમોલિશન
April 29, 2025 02:17 PMમોટા મુંજીયાસરની ગ્રામ પંચાયતને તાળાં મારવા સરપંચનો નિર્ણય
April 29, 2025 02:15 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech