રાજકોટ અગ્નિકાંડમાં રાજય સરકારે એ જ દિવસે શનિવારના રોજ સ્વતત્રં તપાસ માટે એસઆઈટી (સીટ)ની રચના કરી દીધી હતી. જેના વડા તરીકે સીનીયર આઈપીએસ ઓફિસર સુભાષ ત્રિવેદીને નિમ્યા હતા. ત્રિવેદી આવતા મહિને રીટાયર્ડ થઈ રહ્યા છે. સીટ દ્રારા તપાસ માટે વધુ સમય પણ માંગવામાં આવી રહ્યો છે. ત્રિવેદીને રીટાયર્ડમેન્ટ બાદ તપાસ કે વધુ સેવા માટે સરકાર દ્રારા એકસ્ટેન્શન આપવામાં આવે તેવો અંદાજ દેખાઈ રહ્યો છે.
૨૦૨૨ના નવેમ્બર માસના અંતે મોરબીમાં ઝુલતા પુલની દુર્ઘટનામાં સરકારે એ સમયે સીટની રચના કરી હતી અને તેમાં પણ સીટના વડા તરીકે સુભાષ ત્રિવેદીને મુકવામાં આવ્યા હતા. કદાચીત આવી તપાસમાં ત્રિવેદીને વધુ અનુભવ અથવા તો તેમનો ફરજ કાળનો પણ બહોળો અનુભવ કામ આવતો હશે. ત્રિવેદીની કડક છાપ પણ છે. આવા કારણોસર સરકાર દ્રારા આ વખતે રાજકોટ ગેમઝોન અિનકાંડમાં પણ સીટની જવાબદારી સુભાષ ત્રિવેદીના શીરે મુકી તેમના વડપણ હેઠળ તપાસ માટે અન્ય ચાર સભ્યોને પણ મુકવામાં આવ્યા હતા. સુભાષ ત્રિવેદી હાલ સીઆઈડી ક્રાઈમમાં ફરજ બજાવી રહ્યા છે. તેઓ આવતા મહિને જુલાઈના અંતમાં રીટાયર્ડ થઈ રહ્યા હોવાનું જાણવા મળે છે. અત્યારે અિકાંડની જે તપાસ ચાલી રહી છે તેમાં સીટના વડા તરીકે સુભાષ ત્રિવેદીનો મહત્વપૂર્ણ રોલ છે.
રાજકોટ શહેર પોલીસની ક્રાઈમ બ્રાંચ અિકાંડમાં જે ગુનો નોંધાયો છે તેમાં આરોપીઓની ધરપકડથી લઈ આવી કાયદાકીય પ્રક્રિયાથી લઈ ગુનાના કામે આરોપીઓની ધરપકડ અને દસ્તાવેજી પુરાવાઓ એકત્રીત કરવાની કામગીરી કરી રહી છે. સરકાર રચીત સીટ અિકાંડમાં કયાં કયાં બેજવાબદારી અને ખામી હતી ? તે શોધી રહી છે. પોલીસ દ્રારા તપાસનો બે માસ સુધીમાં ચાર્જશીટ રીપોર્ટ કોર્ટમાં રજુ કરવામાં આવે તેવું કહેવાઈ રહ્યું છે.
જુલાઈ માસના અતં સુધીમાં પોલીસ ચાર્જશીટ રજુ કરે અને એ સમયગાળા દરમ્યાન જ સુભાષ ત્રિવેદી રીટાયર્ડ થવાના છે. અિકાંડમાં કડક
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમોદી સરકાર નક્સલવાદ સામે મોટા ઓપરેશનની કરી રહી છે તૈયારી, અમિત શાહ દિલ્હીમાં બનાવશે માસ્ટર પ્લાન
October 05, 2024 08:16 PMNobel Prize 2024: આવતા અઠવાડિયે નોબેલ પુરસ્કારની થશે જાહેરાત, જાણો કોનું થશે સન્માન...
October 05, 2024 08:15 PMએક સાથે પંદર હોમગાર્ડઝ સભ્યોને ફરજ મોકૂફ અને એક સભ્યને બરતરફ કરતાં જામનગર જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ
October 05, 2024 06:52 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech