સાગરખેડૂતો ૭૬ દિવસના વેકેશન પછી દરિયો ખેડશે

  • August 17, 2024 10:10 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



ચોમાસમાં તા.૧ જૂનથી ૩૧ જુલાઈ સુધી દરિયાઈ માછીમારી પ્રતિબધં અને માછીમારોનું વેકેશન હતું. પરંતુ ચાલુ વર્ષે ૧૫ ઓગસ્ટ સુધી પ્રતિબધં લંબાવાતા ૭૬ દિવસનું આ વેકેશન આજે પૂર્ણ થતાં સાગર ખેડૂઓ દરિયો ખેડવા, ખુંદવા પ્રયાણ કયુ. રવાના થતાં પૂર્વે બોટ ઉપર પરિવારની કુમારીકાઓના થાપા, પૂજા પાઠ, સત્યનારાયણ કથા દરિયાલાલને શ્રીફળ અર્પણ કરી પૂજા સાથે સીઝન વ્યસ્ત બન્યા. અગ્રણી ફીસરીઝ આગેવાન વેલજીભાઈ મસાણી કહે છે આજે પ્રથમ દિવસ તો કાંઠે નાંગરેલી બોટોને દરિયામાં ઉતારતા અને અન્ય તૈયારીઓમાં લોકો હતા. મોટાભાગની માછીમાર બોટો નાળિયરી પૂર્ણિમા, રક્ષાબંધન પૂજા કરી પછી જ જતી હોય છે. આમ છતાં આજે ૧૦થી ૧૫ ટકા બોટો તો રવાના થાય જ છે માંગરોળમાં ૧૫૦ બોટો રવાના થઈ હોવા સંભાવના છે. બોટ દરિયામાં ચલાવતા ઓનલાઈન ટોકન મેળવવું પડતું હોય છે. વેરાવળ મદદનીશ મત્સ્ય ઉધોગ નિયામક વી.કે.ગોહિલે પણ આ અંગે સંપૂર્ણ તૈયારીઓથી સ છે આમ સિઝન શરૂ થતાં દરિયા–માછીમારી બોટ આનુસાંગિક વ્યવસાયો ફરી બંદરો ઉપર ધમધમતા થયા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application