અત્યારના સમયમાં મોટા ભાગના બોર્ડના વિદ્યાર્થીઓ જ્યારે ભણતા હોય છે ત્યારે કશો જ કામધંધો કે નોકરી કરતા નથી અને માત્રને માત્ર અભ્યાસમાંજ ધ્યાન રાખે છે પરંતુ પોરબંદરમાં ગ્રાન્ટેડ એવી નવયુગ વિદ્યાલય ખાતે ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહમાં ૯૭.૯૩ પી.આર. સાથે પ્રથમ ક્રમ મેળવનાર વિદ્યાર્થી કેટરીંગમાં હેલ્પર તરીકેની પાર્ટટાઇમ નોકરી કરતા-કરતા ભણ્યો છે અને ખૂબજ મહેનતથી તેણે આ સિધ્ધિ પ્રાપ્ત કરી છે ત્યારે શાળા દ્વારા તેનું સન્માન કરવામાં આવ્યુ હતુ.
ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહમાં મેળવ્યા ૯૭.૯૬ પી.આર.
પોરબંદરના છાયા વિસ્તારમાં રહેતા અને નવયુગ એજ્યુકેશન સોસાયટી સંચાલિત ગ્રાન્ટેડ નવયુગ વિદ્યાલયમાં અભ્યાસ કરીને ધોરણ ૧૨વિજ્ઞાન પ્રવાહ ‘બી’ ગૃપમાં ૯૭.૯૩ પી.આર. મેળવનારા યશપાલ એભાભાઇ ખરાનું શાળાના પ્રિન્સિપાલ તુષારભાઇ પુરોહિત સહિત શિક્ષકો દ્વારા અભિવાદન કરવામાં આવ્યુ હતુ. મહત્વની બાબત એ છે કે મધ્યમવર્ગના આ યુવાને પરિવારની જવાબદારી પોતાના ખભે ઉપાડવાની સાથોસાથ અભ્યાસમાં પણ સર્વશ્રેષ્ઠ પરિણામ પ્રાપ્ત કરીને પોતાની સર્વોપરિતા સિધ્ધ કરી બતાવી છે ત્યારે તેને અભિનંદન પાઠવવામાં આવ્યા છે.
યશપાલ અને તેના પરિવારનો સંઘર્ષ
ધો. ૧ થી ૮ છાયાની પે સેન્ટર કુમારશાળામાં અને ધોરણ ૯ અને ૧૦ છાયાની સ્વામિનારાયણ હાઇસ્કૂલમાં પૂર્ણ કર્યા બાદ ધોરણ ૧૧ અને ૧૨ સાયન્સ નવયુગ વિદ્યાલય ખાતે ભણીને ધોરણ ૧૨ સાયન્સમાં ૯૭.૯૩ પી.આર. અને ૮૫.૪૨% મેળવનાર યશપાલ ખરાની સંઘર્ષમય જીવનગાથા અન્ય વિદ્યાર્થીઓ માટે પણ પ્રેરણાદાયી બની રહેશે. જ્યારે યશપાલ છ મહિનાનો હતો ત્યારે તેના માતા-પિતા અલગ થઇ જતા ત્યારથી જ તેના જીવનનો સંઘર્ષ શ થઇ ગયો હતો. છતાં તેના માતા પુરીબેને ત્રણ સંતાનો મોટી દીકરી હેમલ, બીજા નંબરની દીકરી ઉર્મિલા અને નાના પુત્ર યશપાલને શ્રેષ્ઠ શિક્ષણ અપાવવા માટે સ્લેબ ભરવાનું મજૂરીકામ પણ કર્યુ છે. પોતે માત્ર છ ચોપડી ભણેલા હોવા છતાં સંતાનોને સારામાં સારુ શિક્ષણ આપીને પગભર બનાવવા માટે માતા પુરીબેન ખરાએ ભગીરથ અભિયાન અને સંઘર્ષ સામેની લડત લડીને જે કામગીરી કરી તે કાબિલેદાદ છે અને તેથી જ બાળપણથી જ યશપાલ અને તેની બંને બહેનો પણ માતાને કોઇને કોઇ રીતે મદદપ બનવા માટે કામ કરતા આવ્યા છે. ત્યારે યશપાલ ધોરણ ૧૧ અને ૧૨માં અભ્યાસ કરતો હતો તેની સાથોસાથ કેટરીંગમાં હેલ્પર તરીકેની નોકરી પણ કરતો હતો. અત્યારે બાપકમાઇ બે હાથે ઉડાડતા અસંખ્ય ટીનએજર્સ જોવા મળતા હોય છે ત્યારે તેનાથી બિલ્કુલ અલગ વિપરિત પરિસ્થિતિમાં જાત મહેનતે ભણવાની સાથોસાથ પરિવારને આર્થિક બોજ પડે નહી તે માટે યશપાલ ખરાએ કેટરીંગમાં હેલ્પર તરીકેની નોકરી સ્વીકારીને ૩૫૦ ા. રોજ કમાતો હતો અને તેની સાથોસાથ ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહમાં શ્રેષ્ઠ પરિણામ આવે તે માટે તેમની શાળાના પ્રિન્સિપાલ તુષારભાઇ પુરોહિત, શિક્ષિકાઓ અલ્પાબેન પરમાર, અંકિતાબેન દાહિમા સહિત સર્વે શિક્ષકોના સાથ સહકારથી ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહમાં આટલુ શ્રેષ્ઠ પરિણામ મેળવ્યુ છે.
નર્સીંગના ફિલ્ડમાં આગળ વધવાની ઇચ્છા
ધોરણ ૧૨ સાયન્સમાં ઉત્કૃષ્ટ પરિણામ મેળવનાર યશપાલ ખરા હવે બી.એસ.સી. નર્સીંગ કરીને નર્સીંગના ફિલ્ડમાં આગળ વધવા ઇચ્છે છે અને ઇઝરાયલ અથવા યુ.કે. જઇને આરોગ્યના ક્ષેત્રમાં કારકિર્દી બનાવવાની સાથોસાથ પોતાના પરિવારને દરેક ખુશી આપવા ઇચ્છે છે.
કરાટે અને જુડોમાં પણ અનેક સિધ્ધિઓ
યશપાલ ખરા માત્ર અભ્યાસમાં જ નહી રમતગમતમાં પણ તેજસ્વી તારલો છે સતત બે વર્ષ સુધી ખેલમહાકુંભની જુડો અને કરાટેની સ્પર્ધામાં જિલ્લા લેવલે તે પ્રથમ ક્રમે આવ્યો છે એટલું જ નહી પરંતુ સ્કૂલ ગેમ્સની જુડોની સ્પર્ધામાં પણ પ્રથમ ક્રમે વિજેતા બન્યો હતો. તેમના માર્ગદર્શક જેસલ જાડેજા ઉપરાંત રાણાકંડોરણાની પરિશ્રમ શાળામાં સ્પોર્ટસ ટીચર તરીકે ફરજ બજાવતી યશપાલની મોટી બહેન ઉર્મિલા પાસેથી માર્ગદર્શન લઇને રમતગમત ક્ષેત્રે પણ અનેક સિધ્ધિઓ પ્રાપ્ત કરી છે.
દરરોજની પાંચ થી છ કલાકની મહેનત અને વાંચન
કેટરીંગની નોકરી, શાળામાં અભ્યાસ, ઘરની જવાબદારી બધાની વચ્ચેથી દરરોજ પાંચથી છ કલાકનો વાંચન માટેનો સમય તે કાઢી લેતો હતો. તેણે એવુ જણાવ્યુ હતુ કે વહેલી સવારે મન શાંત હોય છે તેથી નિયમિત રીતે સવારે બે થી ત્રણ કલાક વાંચન કર્યા બાદ શાળાએ જતો હતો એટલું જ નહી પરંતુ આજના ટીનએજર્સ અને યંગ જનરેશન સોશ્યલ મીડિયામાં ટાઇમપાસ કરે છે ત્યારે યશપાલે તેનો હકારાત્મક ઉપયોગ કરીને શિક્ષણમાં મહત્તમ સિધ્ધિઓ પ્રાપ્ત કરી છે.
ખોડીયાર માતાજી પ્રત્યે અતૂટ શ્રધ્ધા
ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહમાં શ્રેષ્ઠ પરિણામ મેળવનાર યશપાલ બાળપણથી જ ધાર્મિક સ્વભાવ ધરાવે છે અને તેને ખોડીયાર માતાજી પ્રત્યે અતૂટ આસ્થા અને શ્રધ્ધા છે. તેણે આ સિધ્ધિ બદલ મા ખોડીયારની કૃપા અને પોતાની માતા પુરીબેન ના આશીર્વાદ મળ્યા હોવાનું જણાવ્યુ હતુ.
શાળા ખાતે સન્માન અને મોટીવેશનલ સ્પીચ
ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહમાં શ્રેષ્ઠ પરિણામ મેળવનાર યશપાલ ખરાનું શાળા ખાતે સન્માન કરવામાં આવ્યુ હતુ ત્યારે ધો.૧૦ના વિદ્યાર્થીઓની વાલી મીટીંગમાં તેણે મોટીવેશનલ સ્પીચ આપીને બોર્ડની પરીક્ષાની તૈયારી કઇ રીતે કરી હતી તેની વિદ્યાર્થીઓને જાણકારી આપી હતી. પ્રિન્સિપાલ તુષારભાઇ પુરોહિત સહિત સર્વે સ્ટાફગણે તેને આ સિધ્ધિ બદલ બિરદાવ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવર્લ્ડ બેન્કે માપદંડ બદલતાં ભારતમાં અતિ ગરીબ ૨૭.૧ ટકાથી ઘટીને ૫.૩ ટકા થઈ ગયા
June 07, 2025 04:26 PMતમારા ઘરમાં જૂના કપડા હોય તો રાજકોટ મનપાને આપો, તમને થેલી બનાવી આપશે, જાણો સમગ્ર વિગત
June 07, 2025 04:20 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech