હજુ તા.6 જુન સુધી ગરમી અને વાદળીયું વાતાવરણ રહેશે: ગઇકાલે ફરીથી 50 કિ.મી.ની ઝડપે સાંજે પવન ફુંકાતા લોકોને રાહત
જામનગર સહિત સમગ્ર હાલારમાં સૂર્યદેવતા કોપાયમાન થઇ ગયા છે, જામનગરનું મોટાભાગે તાપમાન 36 થી 40 ડીગ્રી વચ્ચે રહ્યા કરે છે, સમી સાંજે પવન પણ ફુંકાય છે એટલે બીજા શહેરો કરતા ઓછી ગરમી પડે છે, ગઇકાલે સાંજે પણ 50 કિ.મી.ની ઝડપે પવન ફુંકાયો હતો અને તાપમાન 40 ડીગ્રી નજીક પહોંચી ગયું હતું અને બફારો વધતા લોકો અકળાઇ ઉઠયા હતાં.
કલેકટર કચેરીના ક્ધટ્રોલ મના જણાવ્યા મુજબ મહત્તમ તાપમાન 39.5 ડીગ્રી, લઘુતમ તાપમાન 29.4 ડીગ્રી, હવામાં ભેજ 76 ટકા અને પવનની ગતિ 45 થી 50 કિ.મી. પ્રતિકલાક રહી હતી. આજથી 6 જુન સુધીમાં મીની વાવાઝોડુ ફુંકાશે, એટલું જ નહીં બપોરની જેમ રાત્રે પણ અસહ્ય ગરમી રહેશે, કેટલાક ગામોમાં તો તાપમાન 45 ડીગ્રી સુધી પહોંચી જશે તેવી આગાહી કરવામાં આવી છે, આજ સવારથી જ બફારો શ થઇ ગયો છે.
જામનગરનું તાપમાન 40 ડીગ્રી નજીક પહોંચી ગયું છે, ગઇકાલે સાંજે ભારે પવન ફુંકાયો હતો અને મોડી રાત્રે પવનની ગતિ તેજ બની હતી, જાણે કે હાલારના દરિયાકાંઠે મીની વાવાઝોડુ હોય તેવો માહોલ સર્જાયો હતો. લાંબા સમય બાદ ગુજરાતમાં જોરદાર ગરમી પડી રહી છે, મોટેભાગે સાંજના 6 વાગ્યા પછી ઠંડક રહેતી હોય છે, તેના બદલે રાત્રે પણ તાપમાન 42 થી 45 ડીગ્રી વચ્ચે રહેશે તેવી હવામાન ખાતાએ આગાહી કરતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે.
ડોકટરોના જણાવ્યા મુજબ જામનગરની ખાનગી અને જી.જી.હોસ્પિટલમાં તાવ, ઝાડા-ઉલ્ટી અને પેટના દુ:ખાવાના કેસો વધી રહ્યા છે, બંને જિલ્લાના પીએચસી-સીએચસી કેન્દ્રોમાં પણ આ પ્રકારના દર્દીઓ જોવા મળ્યા છે, હજુ ત્રણ દિવસ તાપમાન 40 ડીગ્રીને પાર કરી જાય તેવી શકયતા છે ત્યારે રાજયના ડીઝાસ્ટાર મેનેજમેન્ટે સુચના આપીને હીટવેવથી લોકોને વધુ નુકશાન ન થાય તેવી વ્યવસ્થા ગોઠવવા જણાવાયું છે, ડોકટરોના જણાવ્યા મુજબ એકાએક ચકકર આવે કે ઉલ્ટી થાય તો તાત્કાલીક અસરથી નજીકના સરકારી કે ખાનગી દવાખાનાનો ડોકટરનો સંપર્ક કરવો તેમ જણાવાયું છે.
જામનગર અને દેવભુમિ દ્વારકા જિલ્લાના કાલાવડ, ધ્રોલ, જોડીયા, લાલપુર, ભાણવડ, કલ્યાણપુર, જામજોધપુર, ખંભાળીયા, દ્વારકા, સલાયા, ફલ્લા ગામમાં પણ આજ સવારથી બફારો જોવા મળ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોનાનો હાહાકાર: એક જ દિવસમાં 170 નવા કેસ, એક્ટિવ કેસ 700ને પાર
June 06, 2025 07:53 PMકેન્દ્રીયમંત્રી મનસુખ માંડવીયાએ રિલાયન્સના વનતારાની મુલાકાત વિશે શુ કહ્યું, જુઓ આ વિડીયો
June 06, 2025 07:44 PMમુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તા.૭ જુનના રોજ જામનગર જીલ્લાના પ્રવાસે
June 06, 2025 06:56 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech