સલાયાની સરકારી શાળામાં વિજ્ઞાન પ્રદર્શન

  • March 01, 2025 11:25 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ખંભાળિયા તાલુકાના સલાયા ગામે આવેલી સરકારી શાળા પી.એમ. શ્રી વાઘેરવાસ તાલુકા શાળા ખાતે ગઈકાલે શુક્રવારે વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું.


આ શાળાના ગણિત, વિજ્ઞાન શિક્ષક અનુપભાઈ મેહતા અને શાળા સ્ટાફ દ્વારા રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ નિમિતે કરવામાં આવેલા આ વિશિષ્ટ વિજ્ઞાન પ્રદર્શનમાં 51 જેટલા બાળ વૈજ્ઞાનિકો દ્વારા વિજ્ઞાનના પ્રયોગો રજૂ કરાયા હતા. જેનો મુખ્ય હેતુ અંધશ્રદ્ધા દુર થાય અને વૈજ્ઞાનિક અભિગમ કેળવાય તે હતો.


આ આયોજનમાં મોટી સંખ્યામાં બાળકોએ ભાગ લીધો હતો. જે બદલ તમામને પ્રોત્સાહિત કરાયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application