પાલીતાણા પંથકમાં એક સ્કૂલ વનમાં ચાલકે સગીર બાળા સાથે શારીરિક અડપલા કર્યાની ફરિયાદ નોંધાયાના પગલે પોલીસે ગુનો દાખલ કરી ચાલકને ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસ સૂત્રોથી ઉપલબ્ધ વિગતો મુજબ સગીર બાળાના વાલી દ્વારા પાલીતાણા ટાઉન પોલીસમાં જાહિદ કાઝી નામના સ્કૂલ વાનના ચાલક વિરુદ્ધબાળા સાથે શારીરિક અડપલાં કર્યાની ફરિયાદ નોંધાવાતા પોલીસે પોક્સો સહિતની વિવિધ કલમો મુજબ ગુનો દાખલ કરી ચાલકને ઝડપી લેવા તજવીજ હાથ ધરી હતી.
૧૧વર્ષીય વિદ્યાર્થીની સાથે શારીરિક અડપલા કરાયા ની ફરિયાદ નોંધાયાના પગલે ચકચાર મચી હતી. જ્યારે પાલીતાણા ટાઉન પોલીસે ફરિયાદના પગલે બાળા સાથે શારીરિક અડપલાં કરનાર સ્કૂલ વાનના ચાલક જાહિદ ઇકબાલભાઈ કાજી ને ઝડપી લઈ તેની સામે કાર્યવાહી હાથ ધરી હતી. સમગ્ર બનાવને લઈ પાલીતાણા પંથકમાં જાહિદ કાઝી વિરુદ્ધ રોષ ફેલાયો હતો.
આ બાબતે સ્કૂલમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીના સંચાલક દ્વારા ઘટનાના પગલે વાહન માલિકનો કોન્ટ્રાક્ટ તાત્કાલિક ના ધોરણે રદ કરી દીધો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવર્લ્ડ બેન્કે માપદંડ બદલતાં ભારતમાં અતિ ગરીબ ૨૭.૧ ટકાથી ઘટીને ૫.૩ ટકા થઈ ગયા
June 07, 2025 04:26 PMતમારા ઘરમાં જૂના કપડા હોય તો રાજકોટ મનપાને આપો, તમને થેલી બનાવી આપશે, જાણો સમગ્ર વિગત
June 07, 2025 04:20 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech