ઇન્કમટેકસ એમ્પ્લોઇઝ ફેડરેશન ગુજરાત સર્કલમાં સૌરાષ્ટ્ર્રનો દબદબો રહ્યો છે. ગઈકાલે યોજાયેલી ચૂંટણીમાં રાજકોટ આવકવેરા વિભાગના દિપક ભટ્ટ સર્કલ પ્રેસિડન્ટ તરીકે અને વાઈસ રેસિડેન્ટ તરીકે શ્રીકાંતની ની ઉકિત થઈ છે યારે સર્કલ એડિશનલ જોઈન્ટ સેક્રેટરી તરીકે દેવેન્દ્રસિંહ જાડેજા ચૂંટાયા છે.
ગઈકાલે રાજકોટના ઘંટેશ્વર પાર્ક ખાતે ઇન્કમટેકસ એમ્પ્લોઇસ ફેડરેશન ગુજરાત સર્કલ નું ઇલેકશન થયું હતું જેમાંસર્કલ ઝોનમાં રાજકોટ,સુરત,વડોદરા, અમદાવાદનો સમાવેશ થાય છે.
રાજકોટ ખાતે યોજાયેલા ઇલેકશનમાં ચૂંટણી અધિકારી તરીકે અણકુમાર અને તેમની કામગીરીમાં જોડાઈ હતી. સર્કલના પ્રેસિડેન્ટ તરીકે રાજકોટ આવકવેરા વિભાગમાં ફરજ બજાવતા દીપક ભટ્ટ, યારે વાઈટ પ્રેસિડેન્ટ તરીકે શ્રીકાંતને સૌથી વધુ ૬૦ મત, જેમાં આશિષ કશ્યપ ને ૫૫ અને ગોપાલ કુમાર નાયરને ૪૩ મત મળતાં શ્રીકાંતનો ૬૦ મતથી વિજય થયો હતો. યારે સર્કલ એડિશનલ જોઈન્ટ સેક્રેટરી દેવેન્દ્રસિંહ જાડેજા મોરબી આવકવેરા વિભાગમાં ફરજ બજાવે છે તેમને સૌથી વધુ ૫૪ મત મળતા તેમનો વિજય થયો હતો. ગુજરાત સરકારના વિવિધ હોદા પર સર્કલ જનરલ સેક્રેટરી તરીકે કે. મધુસુદન, સર્કલ ટ્રેઝરર તરીકે પ્રતીક દવે, સર્કલ જોઈન્ટ સેક્રેટરી તરીકે જનક દોશી અને રણજીત કુમારની નિમણૂક થઈ હતી.
ઇન્કમટેકસ એમ્પ્લોઇસ ફેડરેશનના નવનિયુકત હોદ્દેદારો બે વર્ષ માટે નિયુકત કરાયા છે.
ગઈકાલે રાજકોટ ખાતે યોજાયેલા આ ઇલેકશનમાં આવકવેરા વિભાગના વરિ ભૂતપૂર્વ અધિકારીઓ અને ગુજરાત તેમજ નેશનલ યુનિયનમાં રહી ચૂકેલા ખોડુભા જાડેજા, ભરત રાયગુ સહિત અધિકારીઓ હાજર રહ્યા હતા અને તેમનું માર્ગદર્શન આપ્યું હતું. ચૂંટણી સંપન્ન થયા બાદ નવ નિયુકત હોદ્દેદારોનો શપથ ગ્રહણ સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે ઉપસ્થિત અધિકારીઓએ ઇલેકશનમાં ચૂંટાયેલા નવનિયુકત હોદ્દેદારોને શુભેચ્છા પાઠવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગીરમાં એડવાન્સ બુકિંગ માટે આ સાઇટનો ઉપયોગ કરજો...બાકી થઈ જશે ખાતું ખાલી...જાણો વિગત
September 20, 2024 08:01 PMતિરુપતિ બાલાજીમાં 50 વર્ષ ઘી સપ્લાય કંપનીએ શા માટે કર્યો ઇનકાર, કઈ કંપનીને મળ્યો નવો કોન્ટ્રાક્ટ
September 20, 2024 06:29 PMશું છે બીફ ટોલો? જેનો ઉપયોગ તિરુપતિ બાલાજીના પ્રસાદમાં થતો હતો
September 20, 2024 06:22 PMતિરુપતિ બાલાજી પ્રસાદના લાડુ કેવી રીતે બનાવવામાં આવે છે? દર વર્ષે 500 કરોડની કમાણી
September 20, 2024 06:18 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech