રાજકોટ સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટી દ્રારા મેડિકલ ફેકલ્ટીમાં ફિઝિયોથેરાપીમાં માસ્ટર ઓફ પબ્લિક હેલ્થના નવા કોર્સને હજુ ગયા વર્ષે જ મંજૂરી આપવામાં આવી હતી. પરંતુ આ અભ્યાસક્રમ માન્યતા પ્રા નથી તેવી મોડે મોડે ખબર પડતા આખરે તે રદ કરવાનો નિર્ણય લેવાયો હોવાનું જાણવા મળે છે. ૨૦૨૩માં માસ્ટર ઓફ પબ્લિક હેલ્થના કોર્સની મંજૂરીની જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ એક માત્ર જામનગરના નાઘેડી ગામે આવેલી સ્વામિનારાયણ ગુકુળ સાયન્સ કોલેજ દ્રારા તે શ કરાયો હતો અને માત્ર સાત વિધાર્થીઓએ તેમાં પ્રવેશ લીધા હતા. વિધાર્થીઓના એનરોલમેન્ટ અને પરીક્ષા અંગે કાઉન્સિલમાં અવારનવાર રજૂઆત કરવા છતાં કોઈ પ્રત્યુતર ન આવ્યો હતો. આખરે થોડા સમય પહેલા આ કોર્ષ રદ કરવાની સૂચના મળતા એ રદ કરવામાં આવ્યો છે. યુનિવર્સિટીના સત્તાવાળાઓ આ બાબતે વધુ કશું કહેવા માંગતા નથી પરંતુ એટલું જણાવે છે કે આ અભ્યાસક્રમ સ્ટેચ્યુટ પ્રમાણે માન્યતા પ્રા ન હોવાથી તે રદ કરવામાં આવ્યો છે. અત્રે એ ઉલ્લેખનીય છે કે નવા એકટ અને સ્ટેચ્યુટ મુજબ બોર્ડ ઓફ મેનેજમેન્ટ ની રચના કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટીના બોર્ડ ઓફ મેનેજમેન્ટની થોડા સમય પહેલા મળેલી બેઠકમાં કાયદા વિધા શાખાના માસ્ટર કોર્સની ખાનગી કોલેજોને કરવામાં આવેલી લાહણી રદ કરવામાં આવી હતી અને ત્યાર પછી હવે બીજો મહત્વનો નિર્ણય હોમિયોપેથીમાં લેવાયો છે અને માસ્ટર ઓફ પબ્લિક હેલ્થના અભ્યાસક્રમને રદ કરવામાં આવ્યો છે. માત્ર સાત વિધાર્થીઓને લગતો પ્રશ્ન હોવાથી સ્વાભાવિક રીતે જ ખાસ મોટો હોબાળો થયો નથી અને જો થાય તો પણ આમાં કશું થઈ શકે તેવી સ્થિતિ ન હોવાથી અભ્યાસક્રમ રદ કરવાના મામલે ખાસ ચર્ચા થતી નથી. ૨૦૨૩ માં તે વખતના કુલપતિ ગીરીશ ભીમાણીના કાર્યકાળ દરમિયાન આ અભ્યાસક્રમને મંજૂરી આપવામાં આવી હતી અને તેનો અભ્યાસક્રમ પણ બહાલ રાખવામાં આવ્યો હતો. ગયા વર્ષે મંજૂરી આપી હતી પરંતુ આ કોર્ષ માન્ય ન હોવાનું મોડે મોડે ધ્યાનમાં આવ્યું
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationVideo: પહલગામ આતંકવાદી હુમલાના ભોગ બનેલા લોકોના પાર્થિવ દેહ અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા
April 23, 2025 10:23 PMરાજકોટ SOGની મોટી કાર્યવાહી, 12.89 લાખનું MD ડ્રગ્સ સાથે રાણાવાવનો મુસ્તાક ઝડપાયો
April 23, 2025 09:11 PMગુજરાત મહેસુલ પંચમાં IAS કમલ શાહની નિવૃત્તિ બાદ નિમણૂક, 3 વર્ષનો કાર્યકાળ
April 23, 2025 08:53 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech