આર્ટસ મેનેજમેન્ટ કોમર્સ સાયન્સ હોમ સાયન્સ લો પરફોર્મીંગ આર્ટસ રૂરલ સ્ટડી એજ્યુકેશન અને કોમ્પ્યુટર સાયન્સ ની પરીક્ષાઓ માટેનું શેડ્યુલ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. આ પરીક્ષાઓ 27 માર્ચથી શરૂ થશે અને બે દિવસથી માંડી આઠ દિવસ સુધી ચાલશે અને તેના કારણે તારીખ 5 એપ્રિલ સુધી પરીક્ષાઓ ચાલુ રહેશે.
પરીક્ષા સંદર્ભે યુનિવર્સિટી દ્વારા કરવામાં આવેલી જાહેરાત મુજબ એમએસસી ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ફિઝિક્સ સેમેસ્ટર ચારની પરીક્ષાઓની તારીખ હવે પછી જાહેર કરવામાં આવશે. પરીક્ષામાં જે કોલેજને સેન્ટર ફાળવવામાં આવ્યા છે ત્યાં કો-ઓર્ડીનેટરની નિમણૂક કરી લેવા માટેની અને તે અંગેની જાણ યુનિવર્સિટીને વિધિવત કરવા માટે સૂચના આપવામાં આવી છે. ક્વેશ્ચન પેપર ડિલિવરી સિસ્ટમ (કયુપીડીએસ)દ્વારા પ્રશ્નપત્રો મોકલવાના હોવાથી ડાઉનલોડ કરવાની સંપૂર્ણ પ્રક્રિયાનું સીસીટીવી ફૂટેજ રાખવાનું રહેશે અને યુનિવર્સિટીને ઇ-મેલ મારફત મોકલવાની રહેશે.
મોટાભાગે સેમેસ્ટર છ અને ચારની જ પરીક્ષાઓનું આયોજન કરવામાં આવ્યું છે. પરંતુ સાયન્સમાં બીએસસી એમએસસી એપ્લાઇડ ફિઝિક્સ સેમેસ્ટર 8,બી ડિઝાઇન સેમેસ્ટર 8 બીએ એલએલબી સેમેસ્ટર 8 એલએલબી સેમેસ્ટર એક અને પીજીડીસીએ સેમેસ્ટર એકની પરીક્ષાઓ પણ લેવામાં આવનારી છે.
યુનિવર્સિટીએ આ સંદર્ભે કોલેજના આચાર્યો, યુનિવર્સિટી સંલગ્ન અનુષ્નાતક ભવનના અધ્યક્ષોને અલગથી પરિપત્ર મોકલીને જણાવ્યું છે કે આપણી કોલેજ કે સંસ્થામાં ચાલતા અભ્યાસક્રમો પરીક્ષા કેન્દ્ર હોય તેવા કિસ્સામાં અન્ય પરીક્ષાઓનું આયોજન કરવાનું રહેશે નહીં અને યુનિવર્સિટી પરીક્ષા માટે બેઠક વ્યવસ્થા ખાલી રાખવાની રહેશે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાઈ રહેલી પરીક્ષાઓમાં સોમવારે મુખ્ય વિષયોની પરીક્ષાઓ પૂરી થવાની છે અને ત્યાર પછી તારીખ 27 થી કોલેજોમાં પરીક્ષાઓ શરૂ થવાની છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકચ્છમાં રાત્રે ભૂકંપનો જોરદાર આંચકો, 5.0ની તીવ્રતાથી ધરા ધ્રુજી
April 23, 2025 12:24 AMપહલગામ હુમલા બાદ આજે રાત્રે જ સાઉદી અરબથી દિલ્હી પરત ફરી રહ્યા છે PM મોદી
April 23, 2025 12:15 AMગુજરાત હાઇકોર્ટનો મોટો નિર્ણય: રાજ્યના 70 ન્યાયાધીશોને પ્રમોશન અને બદલી, 28 એપ્રિલથી અમલ
April 23, 2025 12:05 AMપહલગામ આતંકવાદી હુમલામાં ગુજરાતી પ્રવાસીનું મોત, પરિવાર સુરક્ષિત
April 22, 2025 10:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech