સરતાનપર ગામે તળાવમાંથી યુવાનનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી

  • March 23, 2024 07:33 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

તળાજા તાલુકાના સરતાનપર બંદર ગામે એક યુવાનનો તળાવમાંથી મૃતદેહ મળી આવ્યો હતો. સરતાનપર બંદર ખાતે રહેતા યુવાન ડૂબી જતા મોત નીપજ્તા મૃતદેહ પીએમ અર્થે તળાજા સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

આ બનાવ અંગે જિલ્લાના તળાજા તાલુકાના સરતાનપર બંદર ગામે રહેતા યુવાનનો મૃતદેહ તળાવમાંથી મળી આવતા ચકચાર મચી હતી. સરતાનપર બંદર ખાતે રહેતા અશોકભાઈ ધીરુભાઈ બારૈયા (ઉ.વ. ૩૮) ગત મોડી રાત્રી દરમિયાન ઘરે થી નીકળી ગયા હતા. અને જેનો મૃતદેહ વહેલી સવારે પાણીમાં તરતી હાલતમાં મળી આવ્યો હતો. યુવાન છેલ્લા બે વર્ષથી બીમારીની હાલતમાં જીવન જીવતા હતા. જેનો મૃતદેહ તળાવમાંથી મળી આવતા લોકોના ટોળાં એકઠા થયા હતા. બનાવ અંગે પોલીસને જાણ કરાઈ હતી. અને યુવાનના મૃતદેહને પીએમ અર્થે તળાજા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો. પોલીસે બનાવ અંગે વધુ કાર્યવાહી હાથ ધરી હતી.






લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application