તળાજા તાલુકાના સરતાનપર બંદર ગામે એક યુવાનનો તળાવમાંથી મૃતદેહ મળી આવ્યો હતો. સરતાનપર બંદર ખાતે રહેતા યુવાન ડૂબી જતા મોત નીપજ્તા મૃતદેહ પીએમ અર્થે તળાજા સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
આ બનાવ અંગે જિલ્લાના તળાજા તાલુકાના સરતાનપર બંદર ગામે રહેતા યુવાનનો મૃતદેહ તળાવમાંથી મળી આવતા ચકચાર મચી હતી. સરતાનપર બંદર ખાતે રહેતા અશોકભાઈ ધીરુભાઈ બારૈયા (ઉ.વ. ૩૮) ગત મોડી રાત્રી દરમિયાન ઘરે થી નીકળી ગયા હતા. અને જેનો મૃતદેહ વહેલી સવારે પાણીમાં તરતી હાલતમાં મળી આવ્યો હતો. યુવાન છેલ્લા બે વર્ષથી બીમારીની હાલતમાં જીવન જીવતા હતા. જેનો મૃતદેહ તળાવમાંથી મળી આવતા લોકોના ટોળાં એકઠા થયા હતા. બનાવ અંગે પોલીસને જાણ કરાઈ હતી. અને યુવાનના મૃતદેહને પીએમ અર્થે તળાજા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો. પોલીસે બનાવ અંગે વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખંભાળિયા નજીક પુરપાટ જતા બોલેરોની ઠોકરે સતવારા અગ્રણી યુવાનનું કરુણ મૃત્યુ
May 24, 2025 10:00 AMઈરાન અને US વચ્ચે પરમાણુ કાર્યક્રમ પર રોમમાં પાંચમા રાઉન્ડની વાતચીત
May 23, 2025 09:30 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech