ગોંડલ સંઘાણી સંપ્રદાયના ચંદ્રિકાબાઈ મહાસતીજીનો સંથારો સિયો: પાલખીયાત્રા

  • August 16, 2024 11:20 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


સ્થાનકવાસી જૈન સંપ્રદાયના પૂય ચંદ્રિકા બાઇ મહાસતીજીનો સંથારો ગઈકાલે સીજી જતા તેમની પાલખીયાત્રા નીકળી હતી.
ગોંડલ સંઘાણી સંપ્રદાયના બા.બ્ર. જયા–વિયાબાઈ મહાસતીજીના આજ્ઞાનુવર્તિ પરમ પૂય ચંદ્રિકાબાઈ મહાસતીજીએ (જેમનો દીક્ષા પર્યાય ૫૯ વર્ષ છે.) ૧૫૦૮૨૦૨૪ ગુવારે સ્વાધ્યાય પ્રેમી પરમ પૂય પંથકમુનિ મહારાજ સાહેબના શ્રી મુખેથી સંયમવરિા બાલબ્રહ્મચારી ઉષાબાઈ મહાસતીજી આદિ ઠાણા–૩૦ તથા સંપ્રદાય પ્રમુખ અશોકભાઈ કોઠારી મંત્રી કમલેશભાઈ સંઘાણી તથા શ્રાવક શ્રાવિકાઓની હાજરીમાં તારીખ બપોરે ૧–૦૦ કલાકે નમસ્કાર મહામત્રં તથા માંગલિકના શ્રવણ સાથે સંથારાના પચ્ચખાણ કરી સંથારો ગ્રહણ કરાવેલ
ત્યારબાદ પુ. પંથકમુની મહારાજ તથા સંઘાણી સંપ્રદાયના બા. બ્ર. ઉષાબાઈ મહા. આદિ ઠાણા ૩૦ ની નિશ્રામાં નવકાર મહામત્રં તથા લોગ્ગસ્સ ના શ્રવણ સાથે બપોરે ૪.૧૫ કલાકે સંથારો સિઝીને સમાધિ મરણ પામેલ અને સંપ્રદાય પ્રમુખ અશોકભાઇએ સતં સતીજીઓ સાથે વિચાર વિર્મશ કરીને પાલખીયાત્રા નું નક્કી કરેલ અને ત્યારબાદ ગોંડલના પાંચેય સંઘના શ્રાવક, શ્રાવિકાઓ રાજકોટ, મોરબી ના ભાવિકો, તથા સંઘાણી કુટુંબના મહાનુભાવો તેમજબા.બ્ર. ચંદ્રિકાબાઈ મહા.ના પરિવારના સદસ્યો સ્વામીના દર્શનાર્થે પધારેલ ત્યારે ગુવર્યેા ની હાજરીમાં અશોકભાઇએ ચાર કળશ જ્ઞાન, દર્શન ,ચરિત્ર, તપ તેમજ પાંચમા કળશ મોક્ષ એમ પાંચેય કળશ ની ઉછામણી કરાવેલ જેમનો લાભ અનુક્રમે જીજ્ઞેશભાઇ અંબાદતભાઈ શુકલ, બા. બ્ર. ચંદ્રિકાબાઈ મહા. નો પરિવાર, કમલબેન મુકુંદભાઈ પારેખ, ચીમનલાલ અમૃતલાલ સંઘાણી તેમજ મોક્ષનો કળશ મયુરીબેન રાજેશભાઈ શાહ એ લીધો હતો.
ત્યારબાદ ગોંડલ સંઘાણી સંઘના કારોબારી મેમ્બરોએ શાલ ઓઢાડેલ, તેમજ નવાગઢ સંઘ, મૂર્તિપૂજક જૈન સંઘ, રાજકોટ સંઘાણી સ્થા. જૈન સંઘ, સંઘાણી કુટુંબ , તેમજ સ્વામીના પરિવારે પણ શાલ ઓઢાડેલ અને ત્યારબાદ જય જય ભદા, જય જય નંદાના નારા સાથે વિશાળભાવિકો સાથે પાલખી યાત્રા મુકતેશ્વર ધામ પહોંચી અને તેમના પરિવારના સભ્યોએ અિદાહ આપેલ , તેમજ ગુણાનુવાદ સભા આજે દાદા ડુંગર ગુ ઉપાશ્રયે સવારે ૯.૩૦ કલાકે યોજાઈ હતી



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application