ખંભાળિયામાં જિલ્લા અદાલત ખાતે સ્વચ્છતા કાર્યક્રમ

  • September 26, 2024 11:09 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાત રાજ્યમાં આવેલ અદાલતમાં સ્વચ્છતા હી સેવા અભિયાન હેઠળ સમગ્ર દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના ચેરમેન એસ.વી. વ્યાસના માર્ગદર્શન હેઠળ જિલ્લા તથા તાલુકા કક્ષાએ આવેલી તમામ અદાલતમાં આ કેમ્પેનની ઉજવણી કરવામાં આવે છે. જે અંતર્ગત તમામ અદાલત પરિસર, અદાલતની કચેરીઓ, કોર્ટ રૂમ, રેકોર્ડ રૂમ, પબ્લિક ટોયલેટ તથા જાહેર જગ્યાઓમાં સઘન સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવી રહી છે.


ખંભાળિયામાં જિલ્લા અદાલત ખાતે બુધવારે સ્વચ્છતા અંગેનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં ખંભાળિયા હેડ ક્વાર્ટર ખાતે રહેલા તમામ ન્યાયાધીશ, જિલ્લા બાર પ્રમુખ, જિલ્લા બારના હોદ્દેદારો, વકીલો, સરકારી વકીલ તથા કોર્ટ કર્મચારીઓ દ્વારા ગઈકાલે કોર્ટ કેમ્પસની સફાઈ હાથ ધરવામાં આવી હતી. જેમાં સૌએ સાથે મળીને  "સ્વભાવ સ્વચ્છતા - સંસ્કાર સ્વચ્છતા" થીમ મુજબ સ્વચ્છતા અંગેના શપથ લીધા હતા. સાથે સ્વચ્છતા જાળવી રાખવાનો સંકલ્પ લીધો છે. આ જ રીતે ભાણવડ, કલ્યાણપુર, દ્વારકા અને ઓખા ખાતે તાલુકા સ્તરે તાલુકા કાનૂની સેવા સમિતિ ખાતે સ્વચ્છતા અંગેના જુદા જુદા કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application