ભારતીય હોકી ટીમે પેરિસ ઓલિમ્પિક ૨૦૨૪માં શાનદાર પ્રદર્શન કયુ હતું અને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. ભારતે બ્રોન્ઝ મેડલ મેચમાં સ્પેનને ૨–૧થી હરાવ્યું હતું. ભારતીય હોકી ટીમે સતત બીજી ઓલિમ્પિક ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. હવે હોકી ઈન્ડિયાએ પીઆર શ્રીજેશને સન્માનિત કર્યા છે. હોકી ઈન્ડિયાએ શ્રીજેશને ૨૫ લાખ પિયાનો ચેક આપ્યો છે. એટલું જ નહીં શ્રીજેશની ૧૬ નંબરની જર્સી પણ રિટાયર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. શ્રીજેશની આઇકોનિક નંબર ૧૬ જર્સી હવે આંતરરાષ્ટ્ર્રીય સ્તરે અન્ય કોઇ ભારતીય હોકી ખેલાડી માટે ઉપલબ્ધ રહેશે નહીં. આનો મતલબ એ છે કે, કોઈપણ ભારતીય ખેલાડી આંતરરાષ્ટ્ર્રીય હોકીમાં ૧૬ નંબરની જર્સી પહેરી શકશે નહીં. જો કે, જર્સી નંબર ૧૬ જુનિયર સ્તરે ઉપલબ્ધ રહેશે, જેથી શ્રીજેશ જેવા નવા સ્ટારની શોધ થઈ શકે. આ પહેલા તેણે ટોકયો ઓલિમ્પિક (૨૦૨૦)માં પણ આ સિદ્ધિ મેળવી હતી.
ભારતીય ટીમના ઐતિહાસિક પ્રદર્શનમાં ગોલકીપર પીઆર શ્રીજેશે મહત્વની ભૂમિકા ભજવી હતી. ગોલકીપર તરીકે પીઆર શ્રીજેશ સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન ભારતીય ગોલને ચટ્ટાનની જેમ બચાવતો રહ્યો. પેરિસ ઓલિમ્પિક સાથે જ શ્રીજેશે આંતરરાષ્ટ્ર્રીય હોકીને અલવિદા કહી દીધું. શ્રીજેશે પહેલેથી જ જાહેરાત કરી દીધી હતી કે પેરિસ ઓલિમ્પિક તેની છેલ્લી ટૂર્નામેન્ટ બનવા જઈ રહી છે.
હોકી ઈન્ડિયાના મહાસચિવ ભોલા નાથ સિંહે પણ જાહેરાત કરી હતી કે, લગભગ બે દાયકાથી ૧૬ નંબરની જર્સી પહેરનાર ૩૬ વર્ષીય શ્રીજેશ જુનિયર રાષ્ટ્ર્રીય કોચની ભૂમિકા નિભાવશે. શ્રીજેશના સન્માનમાં આયોજિત એક કાર્યક્રમમાં ભોલા નાથે કહ્યું, 'શ્રીજેશ હવે જુનિયર ટીમનો કોચ બનવા જઈ રહ્યો છે અને અમે સિનિયર ટીમ માટે ૧૬ નંબરની જર્સી નિવૃત્ત કરી રહ્યા છીએ. અમે જુનિયર ટીમ માટે ૧૬ નંબરની જર્સી નિવૃત્ત નથી કરી રહ્યા. શ્રીજેશ જુનિયર ટીમમાં તેના જેવા ખેલાડીને તૈયાર કરશે જે ૧૬ નંબરની જર્સી પહેરશે
સચિન–ધોનીની કલબમાં જોડાયા શ્રીજેશ
રમતગમત જગતના દિગ્ગજ ખેલાડીઓની જર્સી નિવૃત્ત કરવી એ નવી વાત નથી. ૨૦૧૭ માં, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડએ મહાન ક્રિકેટર સચિન તેંડુલકરની નંબર–૧૦ જર્સીને નિવૃત્ત કરવાનો નિર્ણય લીધો હતો. ત્યારબાદ એ ૨૦૨૩માં પૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની ૭ નંબરની જર્સીને રિટાયર કરી દીધી હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોલકાત્તા દુષ્કર્મ કેસ: આરજી કર હોસ્પિટલના જુનિયર ડોક્ટરોની હડતાળ સમાપ્ત
September 19, 2024 10:58 PM'તમામ હદ પાર', હિઝબુલ્લા ચીફની ધમકી બાદ પણ ન માન્યું ઇઝરાયેલ, બેરુતને હચમચાવી નાખ્યું
September 19, 2024 10:15 PMતિરુપતિ મંદિરના પ્રસાદમાં જાનવરોની ચરબી, લેબ રિપોર્ટમાં ખુલાસો, ફિશ ઓઈલ મેળવવાની પુષ્ટિ
September 19, 2024 10:13 PMબાંગ્લાદેશ હિંસામાં નવ લઘુમતીઓના મોત, 69 પૂજા સ્થાનો પર તોડફોડ, ચોંકાવનારા આંકડા આવ્યા સામે
September 19, 2024 10:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech