તમિલનાડુના મંત્રી ઉદયનિધિ સ્ટાલિનની ટિપ્પણી બાદ સનાતન ધર્મ પર અનેક નિવેદનો સામે આવી રહ્યા છે. આ દરમિયાન હવે યોગ ગુરુ બાબા રામદેવે પણ સનાતન ધર્મ પર પોતાની પ્રતિક્રિયા આપી છે. સ્વામી રામદેવે સ્પષ્ટ કહ્યું છે કે જે લોકો સનાતનને બદનામ કરવામાં લાગેલા છે તેમને 2024માં મોક્ષ મળવાનો છે. આ સાથે બાબા રામદેવે કહ્યું કે કાશી પોતાનામાં જ દિવ્ય છે અને પીએમ નરેન્દ્ર મોદીએ કાશીને ભવ્યતા આપી છે.
બાબા રામદેવે વારાણસીના પ્રવાસે પહોંચ્યા બાદ આ નિવેદન આપ્યું છે બાબા રામદેવનું કાશી આગમન પર લાલ બહાદુર શાસ્ત્રી એરપોર્ટ પર બીજેપી સાંસદ બીપી સરોજે સ્વાગત કર્યું હતું. હાલમાં જ બાબા રામદેવ વારાણસી પહોંચ્યા હતા અને તેઓ કાશી વિશ્વનાથ મંદિર પણ પહોંચ્યા હતા અને પૂજા કરી હતી. આ દરમિયાન તેમણે જ્ઞાનવાપી કેસને લઈને કહ્યું હતું કે કોર્ટ જે પણ નિર્ણય લે તેનું સન્માન કરવું જોઈએ. જ્યારે સ્વામી રામદેવે ઇન્ડિયા દ/ત ભારત મામલામાં પોતાની પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, કોઈને પણ ભારત કહેવામાં કોઈ સંકોચ ન હોવો જોઈએ. બાબા રામદેવે કહ્યું હતું- આપણી સનાતન સંસ્કૃતિ પ્રાચીન સમયથી જાણીતી છે, પરંતુ અંગ્રેજોએ ગુલામીના સમયમાં આપણા દેશનું નામ ઇન્ડિયા રાખ્યું હતું. આ સમગ્ર વિવાદ વચ્ચે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું છે કે ભારતમાં ઘણા આક્રમણકારો આવ્યા અને ગયા, પરંતુ સનાતન ધર્મ હંમેશા ચમકતો રહ્યો. સીએમ યોગિએ કહ્યું કે સનાતન ધર્મ ભારતનો રાષ્ટ્રીય ધર્મ છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationફરી જય શાહની ભવિષ્યવાણી, રોહિત શર્માની કેપટન્સીમાં ભારત આ બંને ટ્રોફી પણ કરશે પોતાના નામે
July 07, 2024 06:22 PMઆસામમાં પૂરને કારણે હાહાકાર, 58 લોકોએ ગુમાવ્યા જીવ, હજારો લોકોના ઘર પાણીમાં ડૂબ્યા
July 07, 2024 04:39 PMKulgam Encounter: સુરક્ષા દળોનું મોટું ઓપરેશન, અત્યાર સુધીમાં છ આતંકીઓનો ખાત્મો
July 07, 2024 04:37 PMરાજકોટ : ભીલવાસ નજીક ઇગલ પેટ્રોલ પંપે રાત્રીના માથાભારે શખ્સે ફિલરમેનને છરીના ઘા ઝીંક્યા
July 07, 2024 03:50 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech