સલમાન ખાન ઉનકે ટાર્ગેટ પર હૈ, મોકા મિલેગા તો જરૃર મારેંગે, એવી ધમકી મોસ્ટ વોન્ટેડ ગેંગસ્ટર સતવિંદર સિંહ ઉર્ફે ગોલ્ડી બરાડે એક ન્યૂઝ ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં આપી હતી. આ સાથે તેણે અનેક બાબતો પર પૂછાયેલા પ્રશ્નોના જવાબ પણ આપ્યા હતા તેની ગેંગ ખાલિસ્તાનના વિચારને સમર્થન આપતી નથી. એમ ગેંગસ્ટર ગોલ્ડીએ કહ્યું હતું.
ગોલ્ડી બરાડ એક એવો ગુનેગાર છે જે દેશની બહાર બેસીને ગુનાહિત ગતિવિધિઓ કરે છે ભારતની તમામ સુરક્ષા એજન્સીઓ તેને શોધી રહી છે. ઈન્ટરપોલે તેની સામે રેડ કોર્નર નોટિસ પણ જારી કરી છે. કેનેડાની પોલીસના વોન્ટેડ લિસ્ટમાં તેનું નામ સામેલ છે. તેને પકડવા દોઢ કરોડનું ઈનામ રાખવામાં આવ્યું છે. તેણે ન્યુઝ ચેનલ સાથે કુલમને વાત કરી હતી. પોતાના ઈન્ટરવ્યુમાં તેણે પંજાબી સિંગર સિદ્ધુ મુસેવાલાની હત્યા પાછળનું કારણ જણાવતા ગોલ્ડીએ કહ્યું કે અભિનેતા સલમાન ખાન પણ અમારા નિશાના પર છે. જો તક મળશે તેને જરૂર મારી નાખીશું. આ સાથે તેણે સ્પષ્ટતા કરી હતી કે તે કાલિસ્તાનને સમર્થન નથી કરતો અને આઈએસઆઈ સાથે મિત્રતા પણ નથી.
વર્ષ ૧૯૯૮માં કાળિયારના શિકાર કેસમાં સલમાનનું નામ સામે આવ્યું હતું. ત્યારથી બિશ્નોઈ સમુદાયે સલમાનનો વિરોધ શરુ કર્યો હતો તેની ફિલ્મોનો બહિષ્કાર કર્યો હતો. અગાઉ સલમાન કાળિયાર કેસમાં જોધપુર કોર્ટમાં હાજર થવાનો હતો. પરંતુ લોરેન્સ બિશ્નોઈ ગેંગ કે તેના કોઈ સાગરિતે ધમકી આપતા સુરક્ષાનો હવાલો આપીને તે કોર્ટ સુધી પહોંચ્યો નહોતો.
જૂન ૨૦૨૧માં પણ એજનસીઓ જેલમાં બંધ લોરેન્સની પૂછપરછ કરી હતી ત્યારે તેણે સલમાનને મારી નાખવાની જવાબદારી રાજસ્થાનના ગેંગસ્ટર સંપત નેહરાને આપી હોવાનું કબૂલ કર્યું હતું. જેના લીધે મુંબઈ પોલીસની ઉંઘ ઊડી ગઈ હતી. બાદમાં સંપતે મુંબઈમાં સલમાનના ઘરની રેકી કરી હતી.
બિશ્નોઈ સમાજના લોરેન્સ કાલિયાર કેસમાં સલમાન સામે બદલો લેવા માગતો હતો બિશ્નોઈ સમાજ કાળિયારને ભગવાનની જેમ માને છે. સલમાનને ધમકી મળ્યા બાદ તેની સુરક્ષા વધારવામાં આવી હતી.
બોલીવૂડ સુપરસ્ટાર સલમાન ખાનને અગાઉ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ અને ગોલ્ડી બરાડ દ્વારા ઘણી વખત ધમકી આપવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆસામમાં પૂરને કારણે હાહાકાર, 58 લોકોએ ગુમાવ્યા જીવ, હજારો લોકોના ઘર પાણીમાં ડૂબ્યા
July 07, 2024 04:39 PMKulgam Encounter: સુરક્ષા દળોનું મોટું ઓપરેશન, અત્યાર સુધીમાં છ આતંકીઓનો ખાત્મો
July 07, 2024 04:37 PMરાજકોટ : ભીલવાસ નજીક ઇગલ પેટ્રોલ પંપે રાત્રીના માથાભારે શખ્સે ફિલરમેનને છરીના ઘા ઝીંક્યા
July 07, 2024 03:50 PMજામકંડોરણામાં : અષાઢી બીજ નિમિત્તે રામજીની ભવ્ય રથયાત્રા, મોટી સંખ્યામાં ભક્તો જોડાયા
July 07, 2024 03:45 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech