રાજકોટવાસીઓ બારેમાસ ભરવાલાયક ઘઉં ખરીદવા છે તો પહોંચી જાવ નવા માર્કેટ યાર્ડ, આજથી વેચાણ ચાલુ, જાણો એક મણનો ભાવ

  • March 22, 2025 03:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ માર્કેટ યાર્ડ દ્વારા પોતાની બ્રાન્ડ નેમ એપીએમસી રાજકોટ હેઠળ બારે માસ ભરવા લાયક સોર્ટેક્ષ ટુકડા ઘઉંના વેચાણનું કેન્દ્રનો આજે સવારે ચેરમેન જયેશભાઈ બોઘરાના હસ્તે શ્રીફળ વધેરી પ્રારંભ કરાયો હતો, યાર્ડ દ્વારા પોતાના વેંચાણ કેન્દ્રમાંથી પ્રતિ મણ દીઠ રૂ.૬૮૦ના ભાવે વેંચાણ કરાય રહ્યું છે. હાલ બેડી નવા યાર્ડ સંકુલ ખાતે એક કેન્દ્ર શરૂ કરાયું છે અને ટૂંક સમયમાં જુના માર્કેટ યાર્ડ સંકુલ ખાતે વધુ એક કેન્દ્રનો પ્રારંભ કરાશે.


બેસ્ટ ક્વોલીટીના ઘઉં ખરીદવા યાર્ડ દ્વારા અનુરોધ કરાયો

ઉપરોક્ત ઘઉં વેંચાણ કેન્દ્રના પ્રારંભે રાજકોટ માર્કેટ યાર્ડના ડીરેક્ટર કેશુભાઈ નંદાણિયા, જીતુભાઈ સખીયા, અતુલભાઈ કમાણી, સંદીપભાઈ લાખાણી સહિતના સર્વે ડીરેક્ટર તેમજ સેક્રેટરી બી.આર. તેજાણી ઉપસ્થિત રહ્યા હતા. રાજકોટવાસીઓને રાજકોટ માર્કેટ યાર્ડ દ્વારા સોર્ટેક્ષ કરેલા બેસ્ટ ક્વોલીટીના ઘઉં ખરીદવા યાર્ડ દ્વારા અનુરોધ કરાયો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application