અરબી સમુદ્રમાં સાગરપુત્રનું કોઈ અગમ્ય કારણોસર નીપજ્યું મોત

  • August 21, 2024 03:10 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પોરબંદર 
અરબી સમુદ્રમાં એક ફિશિંગ બોટમાં માછીમારી કરી રહેલ માછીમાર બપોરે ભોજન લીધા બાદ ઊંઘી ગયો હતો અને ત્યારબાદ તેનું ઊંઘની હાલતમાં જ મોત નીપજતા ભારે અરેરાટી ફેલાઈ છે.
વલસાડના નાની દાતી ગામે રહેતા રાકેશ ગોવિંદ ટંડેલે પોરબંદરના નવીબંદર પોલીસ મથકમાં એવું જાહેર કર્યું છે કે,નવસારીના સોમનાથ-લીલીમોરા ગામે રહેતો ભાવેશ હસમુખ સરૈયા (ઉ.વ.૪૯) તા.૧૪/૮ ના ફિશિંગ બોટમાં રાત્રે ૧૨:૦૦ વાગ્યે માછીમારી કરવા માટે નીકળ્યો હતો અને તા.૧૭/૮ ના બપોરે ૪:૦૦ વાગ્યે નાની દાતી ગામના દરિયાકિનારાથી ૨૫ નોટીકલ માઈલ દુર સમુદ્રમાં ફિશિંગ કરતા હતા ત્યારે બપોરના સમયે ભાવેશ ભોજન લીધા બાદ ઊંઘી ગયો હતો,અને જાળ ખેચવા માટે તેને ઉઠાડવામાં આવ્યો હતો પરંતુ કોઈ અચોક્કસ કારણોસર તે ઊંઘમાં જ મૃત્યુ પામ્યો હોવાનું બહાર આવ્યુ હતુ અને તેની પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી કરવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application