ધારાસભ્ય પબુભા માણેક રહ્યા ઉપસ્થિત
તા.૩૧/૦૩/૨૦૨૫ ની સાંજે ગામ બરડિયા, તા. જી. દેવભૂમિ દ્વારકા મુકામે, આવેલ સદગુરુધામ આશ્રમમાં, દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેક આવ્યા અને તેમની સાથે, દેવભૂમિ દ્રારકા જીલ્લા ભાજપના ઉપપ્રમુખ ખેરાજભા કેર, દેવભુમિ દ્રારકા જીલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન લુણાભા સુમણીયા, યોગ પ્રચારક ( સોરાષ્ટ્ર પ્રદેશ ના) ધનાભા જડિયા, સિવિલ કોન્ટ્રાક્ટર કારૂભા માણેક અને દેવભૂમિ દ્વારકા વિસ્તારના ઉધોગપતિ દ્રારકાદાસભાઈ રાયચુરા ( મોટાભાઈ ), સમયના સદગુરુ ગુરુદેવજી સ્વામી ક્રિષ્નાનંદજી મહારાજના પ્રવચનમાં ભાગ લીધો હતો.
એસવીએસએસ ગુજરાત પ્રદેશ તરફથી સદગુરુધામ આશ્રમના સંત પ્રમુખ મહાત્મા કામેશ્વરજીએ, પબુભા માણેક તેમજ તેમની સાથે પધારેલા મહાનુભાવોનું હાર્દિક સ્વાગત કર્યું હતું. આ ચૈત્ર નવરાત્રીમાં, પબુભા માણેકએ સદગુરુધામ આશ્રમમાં, જ્યાં કળશની સ્થાપના કરવામાં આવી હતી, ત્યાં જઈને, જગત જનની માં જગદંબા માતાજીના આશીર્વાદ મેળવ્યા હતા. પબુભા માણેક કે, તેઓએ પોતાનો કિંમતી સમય કાઢીને, એસવીએસએસના ભક્તોને, આવી સામાજિક સેવાઓ કરવા માટે તેમજ સદવિપ્ર સમાજના કાર્યોનો, સમાજમાં ઝડપથી પ્રચાર પ્રસાર થાય તેની જરુરીયાત જણાવી હતી અને સંસ્થાના કાર્યકર્તાઓને પ્રોત્સાહિત કર્યા હતા. તેમજ પબુભા માણેકએ તેમના સંબોધનમાં જણાવ્યું હતું કે, “ આ ક્ષેત્રના પ્રાચીન ધાર્મિક સ્થળોના વિકાસના કામો કરવા માટે પોતાની નિરંતર સેવાઓ આપવાની અને અપનાવવાની પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખ્યાતિ હોસ્પિટલ કાંડના આરોપી કાર્તિક પટેલને બે દિવસના હંગામી જામીન મંજૂર
May 13, 2025 07:38 PMબ્રિટનના PM કીર સ્ટાર્મરના ઘરમાં લાગી આગ, ટેરર એંગલથી તપાસમાં એક આરોપીની ધરપકડ
May 13, 2025 07:21 PMજામનગરમાં શહેર કોગ્રેસ અને સેવા દળની જય હિન્દ પદયાત્રા યોજાઈ
May 13, 2025 07:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech