હળવદ પંથકના છેવડાના ગ્રામ્ય વિસ્તારના લોકોને બસ સુવિધા મળે તે માટે સરકાર દ્રારા અનેક પ્રયાસ કરવામાં આવે છે ત્યારે ધાંગધ્રા હળવદ વાયા વાંકાનેર રાજકોટ જતી બસ અમુક અધિકારીઓના પાપે બધં કરી દેવામાં આવી છે અનેક વાર હળવદ ધ્રાંગધ્રાના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરાએ મૌખિક તેમજ ટેલીફોનિક રજૂઆત કરવા કરવા છતાં આજ દીન સુધી આ નિમ્ભર એસટી તત્રં જાગતું નથી આ બસ બધં થતા છેલ્લ ા ઘણા વર્ષેાથી એકમાત્ર બસ ધાંગધ્રા વાયા વાંકાનેર હળવદ ચાલતી હતી જે સવારે ધાંગધ્રા થી ૭.૦૦ ઉપડતી હતી અને આવકમાં રાજકોટ થી બપોરના ૧.૦૦ વાગે ઉપડતી જેના કારણે મુસાફરોને આવક જાવકમાં સરળતા પડતી હતી, પરંતુ એસટી વિભાગ દ્રારા અચાનક છેલ્લ ા ઘણા સમયથી બસ બધં કરી દેતા છેવાડાના વિસ્તારોના લોકોને કાળઝાળ ગરમીમાં નોકરી ધંધો ધર સામાન ખરીદી માટે જવું મુશ્કેલીનું સામનો કરવો પડે છે છેવાડાના વિસ્તારમાં ગામડામાં જતી એકમાત્ર બસ અચાનક બધં થતા ગ્રામ્ય વિસ્તારના લોકો રખડી પડા છે, કાળજાળ ગરમીમાં ન છૂટકે સટલ રિક્ષા સહિત પેસેન્જર ગાડીઓનો સહારો લેવો પડી રહ્યો છે જીવના જોખમે મુસાફરી કરી રહ્યા છે કોઈ અકસ્માતની ઘટના બને તો જવાબદાર કોણ? તેવા પ્રશ્નો સાથે છેવાડાના વિસ્તારના ગ્રામ્ય વિસ્તારના લોકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે, ધાંગધ્રા હળવદ વાંકાનેર રાજકોટ મથકને જોડતી એકમાત્ર બસ બધં થતા અનેક સવાલો ઉઠી રહ્યા છે આ બાબતે હળવદ ધાંગધ્રાના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરાએ રાજકોટ એસટી તંત્રના ડીટીઓને હળવદ બસ સ્ટેન્ડ ઉદઘાટન વખતે બ રજૂઆત કરી હતી અને ત્યારબાદ અનેકવાર ટેલિફોનિક રજૂઆત કરવા છતાં બસ ચાલુ ન કરતા લોકોમાં રોષની લાગણી જોવા મળે છે, મજાક પુરતી એક બે દીવસ ચાલુ કરી બધં કરી દેવામાં આવી છે ,શું હળવદ ધાંગધ્રાના ધારાસભ્ય એકમાત્ર બસ પણ ચાલુ નથી કરાવી શકતા એવી પણ શહેરીજનોમાં ચર્ચા ચાલી રહી છે, છેવાડાના વિસ્તારના લોકો બહત્પ જ હેરાન પરેશાન થઈ રહ્યા છે જીવના જોખમે પ્રાઇવેટ વાહોનો સહારો લેવો પડે છે જો ધારાસભ્યમાં તાકાત હોય તો વર્ષેાથી ચાલતી આ બસ ફરીથી ચાલુ કરવામાં આવે તેવી લોક માંગણી ઉઠવા પામી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકશ્મીરના પહલગામમાં આતંકવાદી ઘટનાના પગલે જામનગરમાં આક્રોશ
April 23, 2025 05:51 PMરાજકોટથી કાશ્મીર ગયેલા તમામ પ્રવાસીઓ સલામત, કલેક્ટરે દરેક પ્રવાસીના ઘરે અધિકારીઓને દોડાવ્યા
April 23, 2025 05:20 PMકલેકટર કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને જામનગર તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો
April 23, 2025 05:17 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech