ઉનાળુ વેકેશન દરમિયાન એસ.ટી. તંત્ર દોડાવાતા ૮ લાખ મુસાફરોએ તેનો લાભ લીધો હતો.
ગુજરાતમાં આજે શહેરી તેમજ છેવાડાના નાગરિકો સુધી જાહેર પરિવહનની ઉત્તમ સુવિધાઓ પહોંચી છે તેનો શ્રેય તત્કાલીન મુખ્યમંત્રી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દુરદર્શિતાને જાય છે. વડાપ્રધાનના માર્ગદર્શનમાં અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકાર માર્ગ પરિવહન ક્ષેત્રે આમુલ પરિવર્તન લાવીને મુસાફરોની સુવિધામાં વધારો કરવાનો નિરંતર પ્રયાસ કરી રહી છે.તાજેતરમાં ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ દ્વારા ઉનાળુ વેકેશનને ધ્યાનમાં રાખીને નાગરિકો માટે એક્સ્ટ્રા બસોની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી હતી.૧ મે થી ૩૧ મે ૨૦૨૫ના સમયગાળામાં ૮ લાખથી પણ વધુ મુસાફરોએ આ કાર્યક્ષમ આયોજનનો લાભ લીધો છે.
રાજ્યના મુખ્ય શહેરોને જોડતી દૈનિક ૧૪૦૦થી વધુ એક્સ્ટ્રા એક્સપ્રેસ બસોની સુવિધ
ઉનાળા વેકેશન દરમ્યાન એસ.ટી નિગમ દ્વારા મુસાફરોની સુવિધા માટે રાજ્યના જુદા-જુદા અને મોટા શહેરોને જોડતી દૈનિક ૧૪૦૦ થી વધુ એક્સ્ટ્રા બસો દોડાવવાનું આયોજન કરવામાં આવ્યુ હતુ. આમાં સુરતથી સૌરાષ્ટ્ર તરફ અંદાજે ૫૦૦ ટ્રિપ, સૌરાષ્ટ્રથી ઉત્તર ગુજરાત તરફ અંદાજે ૨૧૦, દક્ષિણ ગુજરાતથી ઉત્તર ગુજરાત તરફ અંદાજિત ૩૦૦ અને સૌરાષ્ટ્ર તરફ ૩૦૦ ટ્રિપના આયોજનનો સમાવેશ થાય છે.આ ઉપરાંત, વેકેશનના સમયગાળામાં મુસાફરોને ગુજરાતમાંથી પાડોશી રાજ્ય મહારાષ્ટ્ર તથા રાજસ્થાનમાં પણ આંતરરાજ્ય સેવાઓનો લાભ મળ્યો છે.
ધાર્મિક અને આંતરરાજ્ય પ્રવાસ માટે ખાસ ટ્રિપનું આયોજન
ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ દ્વારા પ્રવાસીઓ ધાર્મિક સ્થળોના દર્શને જઈ શકે તે માટે અમદાવાદથી અંબાજી, સોમનાથ, દ્વારકા માટે રોજની ૧૦ ટ્રિપ અને ડાકોર, પાવાગઢ, ગીરનાર માટે રોજની ૫ ટ્રિપ તથા પ્રવાસન સ્થળો જેવા કે, સ્ટેચ્યુ ઓફ યુનિટી, સાસણગીર, સાપુતારા માટે અમદાવાદથી રોજની ૫ ટ્રિપ તેમજ દીવ અને કચ્છનાં પ્રવાસ માટે અમદાવાદથી રોજની ૧૦ બસોની ટ્રિપનું આયોજન કરવામાં આવ્યુ હતુ.
આંતરરાજ્ય પ્રવાસ માટે રાજસ્થાનના માઉન્ટ આબુ અને સુન્ધામાતા જવા માટે અમદાવાદથી રોજની બે ટ્રિપ તેમજ મહારાષ્ટ્રના શિરડી, નાસિક, ધુલીયા જેવા સ્થળોએ મુસાફરી માટે અમદાવાદના ગીતા મંદિરથી રોજની બે ટ્રિપનું આયોજન કરવામાં આવ્યુ હતુ.
જી.એસ.આર.ટી.સી.ના આયોજનથી ૮ લાખથી વધુ મુસાફરોને મળ્યો લાભ
જી.એસ.આર.ટી.સી. દ્વારા ૧ મે થી ૩૧ મે ૨૦૨૫ દરમ્યાન ૨૭૮૦ એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવી હતી.આ બસોએ કુલ ૧૬,૪૩૮ એક્સ્ટ્રા ટ્રિપ કરી હતી, જેનો લાભ ૮.૨૨ લાખ લોકોએ લીધો હતો. વર્ષ ૨૦૨૪ માં આ જ સમયગાળામાં ૧૯૮૮ એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવી હતી. આ બસોએ કુલ ૧૧,૬૭૪ એક્સ્ટ્રા ટ્રિપ કરી હતી,જે દરમ્યાન ૫.૮૪ લાખ લોકોએ મુસાફરી કરી હતી. એટલે કે, ઉનાળુ વેકેશનમાં એસ. ટી. નિગમ દ્વારા કાર્યરત એક્સ્ટ્રા બસોમાં મુસાફરી કરનારા લોકોની સંખ્યામાં વાર્ષિક ૨.૩૮ લાખનો વધારો થયો છે.
જી.એસ.આર.ટી.સી. કુલ ૩.૭૮ કરોડની કમાણી થઈ
મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને એસ.ટી. નિગમ દ્વારા ૧ મેથી ૩૧ મે ૨૦૨૫ દરમ્યાન કુલ ૧૬,૪૩૮ બસ ટ્રિપનું આયોજન કરવામાં આવ્યુ હતુ.આ દરમ્યાન બસોએ કુલ ૧૫.૬૧ લાખ કિમીનું અંતર કાપ્યું હતુ. જી.એસ.આર.ટી.સી.ને આ સંચાલન દ્વારા ૩.૭૮ કરોડની કમાણી થઈ છે. ઉલ્લેખનીય છે કે, વર્ષ ૨૦૨૪ માં મે મહિનામાં કુલ ૧૧,૬૭૪ ટ્રિપનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનાથી જી.એસ.આર.ટી.સી.ને૨.૯૪ કરોડની કમાણી થઈ હતી. આ આંકડા કાર્યક્ષમ નેતૃત્વ અને શ્રેષ્ઠ માળખાગત સુવિધાઓ આપવા પ્રત્યે રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા દર્શાવે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationPM મોદી G7 સમિટમાં લેશે ભાગ, કેનેડાના વડાપ્રધાન કાર્નીએ ફોન કરીને આપ્યું આમંત્રણ
June 06, 2025 08:11 PMગુજરાતમાં કોરોનાનો હાહાકાર: એક જ દિવસમાં 170 નવા કેસ, એક્ટિવ કેસ 700ને પાર
June 06, 2025 07:53 PMકેન્દ્રીયમંત્રી મનસુખ માંડવીયાએ રિલાયન્સના વનતારાની મુલાકાત વિશે શુ કહ્યું, જુઓ આ વિડીયો
June 06, 2025 07:44 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech