રાજકોટ-જૂનાગઢ એસટીની ઇલેક્ટ્રિક બસના ચાલકએ બેદરકારી પૂર્વક બસ હંકારી ગોંડલ રો પર સ્પીડ બ્રેકર ટપાડતા બે મુસાફરોને કમરના ભાગે ઇજા થવાથી સારવાર માટે ખસેડવામા આવ્યા હતા. બનાવને લઇ ઈજાગ્રસ્ત આધેડએ બસના ચાલક સામે પોલીસમાં રાવ કરી છે.
ઉપલેટાનાં વડાળી ગામે રહેતા ધીરજલાલ ઓધવજીભાઈ સોલંકી (ઉ.વ.૬૨)નામના પ્રૌઢ ગત તા. ૧૫ નાં રોજ જુનાગઢ દિકરીના ઘરે જવા માટે દીકરી સાથે બસ સ્ટેન્ડએથી રાજકોટ-જુનાગઢ રૂટની એસ.ટી.ની મીની ઇલેકટ્રીકમાં બસમાં બેઠા હતા. દરમિયાન બસ પી.ડી.માલવીયા કોલેજ પાસે પહોંચતા ડ્રાઈવરે સ્પીડ બ્રેકર આવતા બ્રેક મારવાની જગ્યાએ સ્પીડ બ્રેકર ટપાડતા પાછળ બેઠેલા ધીરજભાઈ સહિતના મુસાફરો ઉછળ્યા હતા જેમાં ધીરજભાઈ અને અન્ય એક મુસાફરને પીઠના ભાગે ઇજા થતા બસ ઉભી રાખવાની ફરજ પડી હતી અને 108ને ફોન કરતા ધીરજભાઈ અને અન્ય એક મુસાફરને સારવાર માટે સિવિલ હોસ્પિટલએ ખસેડવામાં આવ્યા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે ખાનગી હોસ્પીટલમા દાખલ કરવામાં આવતા ત્યાંના તબીબે ધિરાજભાઈને કમરના ભાગે ફેક્ચર જેવી ઇજા થઇ હોવાનું નિદાન કરતા એમએલસી કેસ જાહેર કરી પોલીસને જાણ કરવામાં આવતા માલવીયાનગર પોલીસ સ્ટાફે હોસ્પિટલ પહોંચી આધેડની ફરિયાદ પરથી બસ ચાલકની બેદરકારીના કારણે બનાવ બન્યાનું જણાવતા પોલીસે એસટીના ચાલક સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationPM મોદી G7 સમિટમાં લેશે ભાગ, કેનેડાના વડાપ્રધાન કાર્નીએ ફોન કરીને આપ્યું આમંત્રણ
June 06, 2025 08:11 PMગુજરાતમાં કોરોનાનો હાહાકાર: એક જ દિવસમાં 170 નવા કેસ, એક્ટિવ કેસ 700ને પાર
June 06, 2025 07:53 PMકેન્દ્રીયમંત્રી મનસુખ માંડવીયાએ રિલાયન્સના વનતારાની મુલાકાત વિશે શુ કહ્યું, જુઓ આ વિડીયો
June 06, 2025 07:44 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech