ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન વ્યવહાર નિગમ દ્વારા વિક એન્ડ-પૂર્ણિમા સહિતના દિવસોમાં ફરવા લાયક સ્થળો માટેની વોલ્વો બસ સેવા શરૂ કરવા માટે વિચારણા હાથ ધરવામાં આવી છે.
વિશેષમાં રાજકોટ એસટી બસપોર્ટના વોલ્વો ડેપોના સૂત્રોએ જણાવ્યું હતું કે, આગામી દિવસોમાં રાજકોટ એસટી બસ પોર્ટથી પૂર્ણિમા અને અમાસએ દ્વારકા અને સોમનાથ માટે સ્પેશ્યલ પેકેજ વોલ્વો બસ તેમજ શનિ-રવિમાં રાજકોટથી દિવ અને સાસણ સહિતના સૌરાષ્ટ્રના ફરવાલાયક સ્થળો માટેની સ્પેશ્યલ પેકેજ બસ દોડાવવા માટેનું આયોજન ઘડાઇ રહ્યું છે, અલબત્ત આ પ્રોજેક્ટ હજુ વિચારાધીન છે. રોજિંદી વોલ્વો બસ સેવા ઉપરાંતની આ વિશેષ સેવા રહેશે.
અત્રે ઉલ્લેખનીય છે કે ફક્ત રાજકોટ એસટી બસપોર્ટ જ નહીં પરંતુ રાજ્યભરના તમામ ડિવિઝનમાં ઉપરોક્ત પ્રકારે શનિ રવિમાં ફરવાલાયક સ્થળો માટે તેમજ પૂર્ણિમા અને અમાસે તીર્થધામો માટે વોલ્વો બસ દોડાવાશે જેથી પ્રવાસન ક્ષેત્રને ઉત્તેજન મળશે અને મુસાફરો તેમજ પર્યટકોને સુવિધા મળશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજસ્થાન: અત્યાર સુધીમાં 30 પાકિસ્તાની ડ્રોન તોડી પડાયા, બાડમેરમાં રેડ એલર્ટ
May 09, 2025 10:35 PMપાકિસ્તાની ડ્રોનથી ફિરોઝપુરમાં એક પરિવાર ઘાયલ, સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા
May 09, 2025 10:19 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech