ધોરાજી પોલીસ મથકમાં ચોરીના ગુનામાં પૂછપરછ માટે લાવવામાં આવેલા યુવાને પોલીસ સ્ટેશનમાં આવેલા મહિલાઓના બાથમમાં જઈ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા પોલીસ સ્ટાફમાં દોડધામ મચી જવા પામી હતી. ઘટનાના પગલે એસપી સહિતનો પોલીસ કાફલો ધોરાજી દોડી ગયો હતો.
બનાવની પ્રા વિગત મુજબ ધોરાજીના ભરપુર સિધ્ધાર્થનગરમાં રહેતો કમલેશ ઉર્ફે મોહન કેશુજી પરમાર (ઉ.વ.૩૦)ના યુવકને ધોરાજી પોલીસ મોબાઈલ ચોરીના ગુનામા પુછપરછ માટે લાવી હતી. દરમિયાન ગઈકાલે બપોરના સમયે યુવક પોલીસ મથકમાં હતો ત્યારે મહિલાના બાથમમાં જઈ ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. કેટલીક વાર સુધી યુવક બહાર ન આવતા પોલીસ સ્ટાફ અંદર જોવા જતા યુવક લટકતી હાલતમાં જોવા મળતા તેને બચાવી ૧૦૮ને જાણ કરી હતી. ૧૦૮ની ટિમ દ્રારા યુવકને સીપીઆર આપવામાં આવ્યા હતા અને તાકીદે ધોરાજી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો પરંતુ યુવકનો જીવ બચી શકયો નહતો. કસ્ટોડિયલ ડેથની ઘટનાને લઇ પોલીસમાં સોપો પડી ગયો હતો. બનાવની જાણ ઉચ્ચ અધિકારીઓને કરવામાં આવતા રાજકોટ જિલ્લા પોલીસ વડા સહિતનો કાફલો ધોરાજી દોડી ગયો હતો અને પોલીસ સ્ટેશન ખાતે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. યુવકના મૃતદેહને પીએમ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડી જરી કાર્યવાહી કરવામાં આવી હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech