શહેરમાં એક વર્ષ પૂર્વે સોની બજારમાં કારીગરના સ્વાંગમાં ત્રણ આતંકવાદીઓ ઝડપાયા હતા. ત્યારબાદથી લઈને પોલીસ દ્રારા સતત બંગાળી કારીગર સહિત પરપ્રાંતીઓને કામ પર રાખતા પૂર્વે તેમજ મકાનમાં ઘરઘાટીને કામ પર રાખતા પૂર્વે પોલીસને જાણ કરવા અથવા સીટીઝન પોર્ટલ પર તેની માહિતી અપલોડ કરવા માટે જણાવાઈ રહ્યું છે. આ માટે પોલીસ કમિશનરનું જાહેરનામું પણ અમલમાં છે.
તેમ છતાં કેટલાક વેપારીઓ આ બાબતે ઉદાસીનતા દાખવતા હોય જેના પરિણામ સ્વપ કયારેક ગંભીર બનાવો પણ બની શકવાની શકયતા ન કરી શકાય નહીં. ત્યારે આજરોજ પોલીસ કમિશનરની સૂચના હેઠળ એસોજી દ્રારા સોની બજાર,કોઠારીયા નાકા સહિતના વિસ્તારોમાં પરપ્રાંતિય અને ખાસ કરીને બંગાળી કારીગર અંગે જાહેરનામાં ભગં અંગેની ખાસ ડ્રાઇવ યોજાઈ હતી. જેમાં પોલીસે જાહેરમાં ભગં અંગેના ૧૦૦ થી વધુ કેસ કર્યા છે.
શહેરના સોની બજાર વિસ્તારમાં મોટી સંખ્યામાં બંગાળી કારીગરો કામ કરે છે. પોલીસ દ્રારા આ બંગાળી કારીગરો અંગેની નોંધણી પોલીસ સ્ટેશનમાં કરાવવા તેમજ સીટીઝન ફસ્ર્ટ પોર્ટલમાં તેની માહિતી અપલોડ કરવા માટે વખતોવખત જણાવવામાં આવે છે. પરંતુ તેમ છતાં નિયમનું સચોટ પાલન થતું નથી.ત્યારે આજરોજ પોલીસ કમિશનર બ્રિજેશકુમાર ઝાની સુચના હેઠળ ડીસીપી ક્રાઈમ ડો. પાર્થરાજસિંહ ગોહિલ અને એસીપી ક્રાઇમ બી.બી.બસીયાના માર્ગદર્શનમાં એસઓજી પીઆઈ ડી.સી. સાકરીયાની રાહબરી હેઠળ એસોજીની ટીમ દ્રારા શહેરના સોની બજાર, કોઠારીયા રોડ સહિતના વિસ્તારોમાં જાહેરનામા ભગં અંગે ખાસ ડ્રાઈવ યોજી હતી.
પોલીસે આ ડ્રાઇવ દરમિયાન સોની બજાર અને કોઠારીયા નાકા વિસ્તારમાં આવેલી સોની વેપારીની દુકાનોએ ચેકિંગ કયુ હતું. જેમાં અહીં પરપ્રાંતીય મજૂરોને કામ પર રાખ્યા અંગેની પોલીસને જાણ ન કરી હોય તેવા વેપારીઓ સામે જાહેરનામા અંગેના ગુના નોંધ્યા હતા. આ ડ્રાઈવ દરમિયાન ૧૦૦ થી વધુ વેપારીઓ સામે ગુના નોંધવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. આગામી સમયમાં પણ આ ડ્રાઈવ સતત ચાલુ રહેશે તેવું પોલીસે જણાવ્યું હતું
સોની બજારમાં ૯૦ હજારથી વધુ બંગાળી કારીગરો કામ કરે છે
સોની બજારમાં સોની કામ માટે મોટાભાગે બંગાળી કારીગરો કામ કરતા હોય છે. હાલમાં સોની બજારમાં ૯૦ હજારથી વધુ બંગાળી કારીગરો કામ કરતા હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે આ કારીગરોની નોંધણી ઘણાખરા કિસ્સામાં વેપારીઓ દ્રારા પોલીસ સ્ટેશનને કરવામાં આવતી ન હોવાનું પણ સામે આવી રહ્યું છે
ડ્રાઇવ સતત ચાલુ રહેશે: એસીપી બી.બી. બસીયા
શહેરના સોની બજાર વિસ્તારમાં આજરોજ પોલીસ દ્રારા જાહેરનામા અંગેની ડ્રાઇવ યોજાઈ હતી. ત્યારે આ બાબતે એસીપી ક્રાઇમ બી.બી.બસીયાએ જણાવ્યું હતું કે, માત્ર સોની બજાર જ નહીં પરંતુ શહેરમાં યાં પણ પરપ્રાંતીય વ્યકિતઓને ઔધોગિક એકમમાં કામ પર રાખવામાં આવ્યા હોય તે તમામ સ્થળોએ પોલીસની ડ્રાઇવ સતત ચાલુ રહેશે. સાથોસાથ એસીપીએ વેપારીઓને અને ઔધોગિક એકમના સંચાલકોને એવી અપીલ કરી હતી કે, યારે પણ પરપ્રાંતીઓને કામ પર રાખવામાં આવે ત્યારે તે અંગેની જાણ પોલીસને અચૂક કરવી. આ ઉપરાંત ઘરમાં પણ ઘરઘાટી તરીકે પરપ્રાંતીઓને રાખ્યા અંગેની જાણ પોલીસને કરવી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ : આજી નદી 2માં ગાંડીવેલનું સામ્રાજય, દૂર કરવા માટે મનપાએ હાથ ધરી કામગીરી
February 24, 2025 12:58 PMજન્મ લેનાર દરેક બાળકના નામ સાથે રાજકોટ મનપા વાવશે વૃક્ષ, વાલીને મોકલાશે તમામ અપડેટ
February 24, 2025 12:43 PMજામ ખંભાળીયામાં જલારામ બાપાની 144મી પુણ્યતિથિ ઉજવાઇ
February 24, 2025 12:37 PMજામનગર શહેરના હવાઈચોક વિસ્તારમાં ક્રિકેટ પ્રેમીઓ દ્વારા ભારતના જીતની જશ્ન સાથે ઉજવણી
February 24, 2025 12:30 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech