તિરૂપતિ લાડુ ભેળસેળ કેસની એસઆઈટીની તપાસ અસ્થાયી રૂપે સ્થગિત કરાઈ : ડીજીપી

  • October 02, 2024 02:42 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



આંધ્ર પ્રદેશના પોલીસ મહાનિર્દેશક (ડીજીપી) દ્રારકા તિમાલા રાવે મંગળવારે જણાવ્યું હતું કે, રાય સરકાર દ્રારા રચવામાં આવેલી વિશેષ તપાસ ટીમ (એસઆઈટી)એ તિપતિ લાડુમાં પશુ ચરબીની કથિત ભેળસેળની તપાસ અસ્થાયી પે અટકાવી દીધી છે કારણ કે કેસ સુપ્રીમ કોર્ટ સમક્ષ વિચારણા હેઠળ પેન્ડિંગ છે. રાવે કહ્યું કે, છેલ્લા બે દિવસમાં એસઆઈટીએ ખરીદી અને નમૂના લેવાની પ્રક્રિયાની તપાસ કરી છે અને લાડુમાં ભેળસેળ કેવી રીતે શકય છે તે સમજવાનો પ્રયાસ કર્યેા હતો.
ડીજીપીએ સંવાદદાતાઓને કહ્યું કે, સૌથી પહેલા તેઓએ (એસઆઈટી) પ્રક્રિયાને સમજવી પડશે, તેનો અભ્યાસ કરવો પડશે અને તમામ માહિતી એકત્રિત કરવી પડશે, પરંતુ આ દરમિયાન સુપ્રીમ કોર્ટ તરફથી આદેશ આવ્યો છે અને તે મુજબ અમે તેને (તપાસ) અટકાવી દીધી છે. તેમણે કહ્યું કે, યારે આ મામલો સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે તેના પર વધુ વાત કરવી યોગ્ય નથી.
સર્વેાચ્ચ અદાલત અનેક અરજીઓ પર સુનાવણી કરી રહી છે, જેમાં તિપતિ લાડુ બનાવવામાં પશુની ચરબીના ઉપયોગના આરોપોની કોર્ટ દ્રારા દેખરેખ હેઠળની તપાસની માંગણીનો સમાવેશ થાય છે.
કોર્ટે સોલિસિટર જનરલ તુષાર મહેતાને રહ્યું કે, રાય સરકાર દ્રારા રચવામાં આવેલી એસઆઈટી દ્રારા તપાસ ચાલુ રાખવી જોઈએ કે સ્વતત્રં એજન્સી દ્રારા તપાસ હાથ ધરવી જોઈએ તે નક્કી કરવામાં મદદ કરવી જોઈએ. આ દરમિયાન, આંધ્ર પ્રદેશના નાયબ મુખ્ય પ્રધાન પવન કલ્યાણે મંગળવારે તિપતિ લાડુની કથિત ભેળસેળના કેસમાં ભગવાન વેંકટેશ્વરને ખુશ કરવા માટે તેમની ૧૧ દિવસની 'પ્રયાશ્ચિત દીક્ષા'ના ભાગપે તિમાલાની ત્રણ દિવસની મુલાકાત શ કરી હતી.
તિમાલા જતા સમયે કલ્યાણે પત્રકારોને કહ્યું કે, આ માત્ર પ્રસાદ મુદ્દે (લાડુમાં ભેળસેળ)નો મામલો નથી. શકય છે કે આ વાત પ્રકાશમાં આવી હોય. પ્રયાસ દીક્ષા એ સનાતન ધર્મના રક્ષણને આગળ વધારવાની પ્રતિબદ્ધતા છે. આ ખૂબ જ મહત્વપૂર્ણ છે. એ જ આજના સમયની માંગ છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application