અઝરબૈજાન એરલાઈન્સનું વિમાન ક્રેશ થયા બાદ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને અઝરબૈજાનના રાષ્ટ્રપતિ ઈલ્હામ અલીયેવની માફી માંગી છે. તેમણે પીડિત પરિવારો પ્રત્યે સંવેદના પણ વ્યક્ત કરી હતી. જો કે પુતિને આ દુર્ઘટનાની કોઈ જવાબદારી લીધી નથી અને કહ્યું છે કે તે સમયે યુક્રેન તરફથી હુમલો કરવામાં આવ્યો હતો.
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને અઝરબૈજાન એરલાઈન્સના વિમાનના દુર્ઘટના બદલ અઝરબૈજાનના રાષ્ટ્રપતિ ઈલ્હામ અલીયેવની માફી માંગી છે. જોકે, તેણે પ્લેન ક્રેશની જવાબદારી લીધી નથી.
નોંધનીય છે કે 25 ડિસેમ્બરે બાકુથી રશિયા જઈ રહેલું અઝરબૈજાન એરલાઈન્સનું વિમાન કઝાકિસ્તાનના અક્તાઉ નજીક ક્રેશ થયું હતું, જેમાં 38 મુસાફરોના મોત થયા હતા. ન્યૂઝ એજન્સી એએનઆઈએ યુરો ન્યૂઝને ટાંકીને કહ્યું કે ક્રેમલિનના સૂત્રોના જણાવ્યા અનુસાર પુતિને અઝરબૈજાનના રાષ્ટ્રપતિ ઈલ્હામ અલીયેવને ફોન કર્યો છે અને બુધવારે જીવલેણ વિમાન દુર્ઘટના બાદ માફી માંગી છે.
શોક વ્યક્ત કર્યો
તેમણે પીડિતોના પરિવારો પ્રત્યે ઊંડી અને નિષ્ઠાવાન સંવેદના પણ વ્યક્ત કરી છે. રિપોર્ટ અનુસાર રાષ્ટ્રપતિ અલીયેવ સાથે ફોન કોલ દરમિયાન પુતિને કહ્યું કે પ્લેન ચેચન્યાની રાજધાની ગ્રોઝનીના એરપોર્ટ પર વારંવાર ઉતરવાની કોશિશ કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજુઓ પોરબંદર જિલ્લામાં જમીન પર થયેલા દબાણ અંગે કલેકટરે શું કહ્યું
April 02, 2025 01:38 PMલીંબુના ભાવમાં આકાશને આંબતો વધારો : કિલોના ₹200
April 02, 2025 01:37 PMપોરબંદરમાં રઘુવંશી એકતા દ્વારા મહાપ્રસાદી અંગે યોજાઇ બેઠક
April 02, 2025 01:36 PMજુઓ પોરબંદર આજકાલનો 22 મો જન્મદિવસ કઈ રીતે ઉજવાયો
April 02, 2025 01:35 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech