બિહારના સિદ્ધેશ્વરનાથ મંદિરમાં જલાભિષેક માટે મચી ભાગદોડ, ૭નાં મોત, અનેક ઘાયલ

  • August 12, 2024 11:20 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


બિહારના જહાનાબાદમાં શ્રાવણ મહિનાના સોમવારે વહેલી સવારે મોટી દુર્ઘટના બની હતી. મખદુમપુરના વાણાવરમાં આવેલા બાબા સિદ્ધેશ્વર નાથ મંદિરમાં જલાભિષેક માટે મચેલી નાસભાગમાં સાત લોકોના મોત થયા હતા. પ્રશાસને સાત લોકોના મોતની પુષ્ટ્રી કરી છે પરંતુ આ સંખ્યા હજુ પણ વધી શકે છે. અનેક લોકોને જહાનાબાદ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. સોમવારને અનુલક્ષીને રાત થી જ મંદિરમાં ભીડ થવા લાગી હતી અને વહેલી સવારે આ ઘટના બની હતી. જો કે અમુક લોકોએ ભીડને કાબુ કરવા પોલીસે લાઠી ચાર્જ કર્યાનો આક્ષેપ કર્યેા છે જયારે પોલીસે આ આક્ષેપને નકાર્યેા છે.

ઘટનાની માહિતી મળતા જ પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. રાહત અને બચાવ કાર્ય તાત્કાલિક શ કરવામાં આવ્યું હતું. વાસ્તવમાં શ્રાવણ મહિનામાં બાબા સિદ્ધેશ્વર નાથ મંદિરમાં જળ ચઢાવવા માટે મોટી ભીડ ઉમટી હતી. રવિવારે રાતથી જ જળ અર્પણ કરવા લોકોના ટોળા આવવા લાગ્યા હતા.આ મામલે એસડીઓ વિકાસ કુમારે કહ્યું કે રવિવારે રાત્રે વધુ ભીડ હોય છે. આજે સોમવાર છે આથી અમે પણ એલર્ટ હતા. સિવિલ, મેજિસ્ટ્રેટ અને મેડિકલ ટીમો તૈનાત હતી


પ્રત્યક્ષદર્શીઓએ શું કહ્યું?
ઘટનાને નજરે જોનારા લોકોએે વહીવટીતત્રં પર આરોપ લગાવ્યો હતો. લાઠીચાર્જના કારણે આ અકસ્માત થયો હોવાનું જણાવ્યું હતું. જો કે અહી એનસીસીના લોકો ફરજ બજાવતા હોવાનું પણ સામે આવ્યું છે . બિહાર પોલીસનું કોઈ નહોતું. અન્ય એક વ્યકિતએ જણાવ્યું કે, પહાડની ટોચ પર પોલીસ અને લોકો વચ્ચેની બબાલ બાદ લાઠીચાર્જ કરવામા આવ્યો હતો. જેના કારણે લોકો પાછળની તરફ દોડવા લાગ્યા હતા. જેનાથી લોકો નીચેથી તરફ પડવા લાગ્યા હતા



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application