જો રોહિત બીજી વર્લ્ડ કપ ફાઇનલમાં હારશે તો કદાચ દરિયામાં કૂદી પડશે : સૌરવ ગાંગુલી

  • June 29, 2024 04:46 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રોહિત શર્માના નેતૃત્વમાં ભારતીય ટીમ તેના 11 વર્ષની રાહનો અંત લાવવા માટે શનિવારે દક્ષિણ આફ્રિકા સામે ફાઇનલમાં પ્રવેશ કરશે. ભારતે અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝમાં રમાઈ રહેલી ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી તેની તમામ મેચ જીતી છે. જ્યારે આફ્રિકાની ટીમે ટીમ ઈન્ડિયા કરતાં એક મેચ વધુ જીતી છે. ભારતની કેનેડા સામેની ગ્રુપ સ્ટેજની મેચ વરસાદને કારણે કેન્સલ થઇ હતી. પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ ફાઈનલ પહેલા કહ્યું હતું કે રોહિત શર્માની કેપ્ટનશિપે ટીમને આ સ્થાન સુધી પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવી છે.


ભારતીય ટીમે T20 વર્લ્ડ કપ 2024ની બીજી સેમિફાઇનલમાં ઇંગ્લેન્ડને 68 રનથી હરાવીને ફાઇનલમાં જગ્યા બનાવી છે. રોહિત શર્માની કેપ્ટન્સીમાં ભારત છેલ્લા કેટલાક વર્ષોમાં ત્રણ ICC ટૂર્નામેન્ટની ફાઇનલમાં પહોંચ્યું છે. ભારતીય ટીમને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ અને ODI વર્લ્ડ કપ 2023માં ઓસ્ટ્રેલિયાના હાથે હારનો સામનો કરવો પડ્યો હતો. 2022માં આયોજિત T20 વર્લ્ડ કપમાં રોહિતની કેપ્ટનશીપમાં ભારતીય ટીમ સેમીફાઈનલમાં હારી ગઈ હતી. બાર્બાડોસના બ્રિજટાઉનમાં રમાનારી મેચમાં ભારતીય ટીમ જીતની દાવેદાર છે. ટીમ 2013ની ચેમ્પિયન્સ ટ્રોફી બાદ વૈશ્વિક ટ્રોફીના દુષ્કાળને ખતમ કરવા માંગે છે.

સૌરભ ગાંગુલીએ કહ્યું કે મને નથી લાગતું કે તે સાત મહિનામાં બીજો વર્લ્ડ કપ ફાઈનલ હારી જશે. જો તે સાત મહિનામાં તેની કપ્તાની હેઠળની બીજી ફાઈનલ હારી જશે, તો તે સંભવતઃ સમુદ્રમાં કૂદી જશે. તેણે પહેલેથી જ નેતૃત્વ કર્યું, શાનદાર બેટિંગ કરી અને મને આશા છે કે આવતીકાલે પણ તે આવું જ પર્ફોમ કરશે. આશા છે કે ભારત ટ્રોફી જીતીને આ અભિયાન પૂરું કરશે. ટીમે ડર્યા વિના રમવું જોઈએ.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application