સમગ્ર વિશ્વમાં હવામાનની ઘટનાઓની ચરમસીમા અંગે, વૈજ્ઞાનિકો દાવો કરે છે કે જેમ જેમ વૈશ્વિક તાપમાન વધશે તેમ તેમ પૃથ્વી પર ભેજ વધશે. જેના કારણે ધરતીની હાલત પ્રેશર કૂકર જેવી થઈ જશે. વોશિંગ્ટનની નોર્થવેસ્ટ યુનિવર્સિટીના સંશોધકોના જણાવ્યા અનુસાર પૃથ્વીની સપાટીના તાપમાનમાં એક ડિગ્રી સેલ્સિયસના વધારા સાથે હવામાં ભેજ સાત ટકા વધી શકે છે. જેના કારણે હીટ ઇન્ડેકસમાં નોંધપાત્ર વધારો થશે.
અર્થ યુચર જર્નલમાં પ્રકાશિત થયેલા સંશોધનમાં જણાવવામાં આવ્યું હતું કે તાપમાનમાં વધારાને કારણે હવામાં ભેજ વધવાની આડ અસર પૂર અને તોફાનના સ્વપમાં પણ જોવા મળશે. સંશોધકોમાંના એક હૈજિયાંગ વુએ કહ્યું કે, પૃથ્વીના તાપમાનમાં વધારાને કારણે ઘણી જગ્યાએ વધુ વરસાદ, પૂર અને ભૂસ્ખલનની ઘટનાઓ વધશે. તાપમાનમાં વધારાને કારણે હીટ વેવને કારણે જમીનની ઉપરની સપાટી સંપૂર્ણપણે સુકાઈ જાય છે. જેના કારણે ભારે વરસાદ દરમિયાન પાણી જમીનને બદલે દરિયામાં પહોંચે છે. પૃથ્વી પર ભૂગર્ભજળના ઘટાડાનું આ સૌથી મોટું કારણ છે.
લંડનની ઈમ્પિરિયલ કોલેજના કલાઈમેટ સાયન્સના પ્રોફેસર ડો. પાઓલો સેપ્પી કહે છે કે અશ્મિભૂત ઈંધણ અને અલ નીનોના કારણે થઇ રહેલા ગ્લોબલ વોમિગને કારણે એવું લાગે છે કે પૃથ્વી કોઈ અજાણ્યા વિસ્તારમાં પ્રવેશી ગઈ છે. જુલાઈ આ વર્ષે અત્યાર સુધીનો સૌથી ગરમ દિવસ હતો, જૂન વૈશ્વિક સ્તરે સૌથી ગરમ મહિનો હતો, યારે એન્ટાર્કટિક સાગરના બરફમાં ઘટાડો થયો હતો.
તાપમાનમાં નોંધપાત્ર વધારો, સમુદ્રની સપાટીની ગરમી અને એન્ટાર્કટિક સમુદ્રમાં બરફ પીગળવાના કારણે વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી છે કે વિશ્વ સમક્ષ ઘણા ડરામણા દ્રશ્યો આવી શકે છે. આ વર્ષે અતિવૃષ્ટ્રિએ ભારતના એક ભાગમાં વિનાશ સર્યેા હતો. દેશના ૪૦ ટકા ભાગમાં લોકોએ અતિવૃષ્ટ્રિ અને પૂરનો સામનો કર્યેા, યારે બાકીના ભાગો વરસાદ નહીવત પડો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆસામમાં પૂરને કારણે હાહાકાર, 58 લોકોએ ગુમાવ્યા જીવ, હજારો લોકોના ઘર પાણીમાં ડૂબ્યા
July 07, 2024 04:39 PMKulgam Encounter: સુરક્ષા દળોનું મોટું ઓપરેશન, અત્યાર સુધીમાં છ આતંકીઓનો ખાત્મો
July 07, 2024 04:37 PMરાજકોટ : ભીલવાસ નજીક ઇગલ પેટ્રોલ પંપે રાત્રીના માથાભારે શખ્સે ફિલરમેનને છરીના ઘા ઝીંક્યા
July 07, 2024 03:50 PMજામકંડોરણામાં : અષાઢી બીજ નિમિત્તે રામજીની ભવ્ય રથયાત્રા, મોટી સંખ્યામાં ભક્તો જોડાયા
July 07, 2024 03:45 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech