વિકાસકામો તાકીદે પૂર્ણ કરવા તેમજ નવા કામો અંગે જરૂરી આયોજન હાથ ધરવા કેબિનેટમંત્રીએ સૂચનો આપ્યા
પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વન અને પર્યાવરણ અને કલાઈમેટ ચેન્જ વિભાગના કેબિનેટ મંત્રી મુળુભાઇ બેરાના અઘ્યક્ષ સ્થાને મામલતદાર કચેરી ભાણવડ ખાતે ભાણવડ નગરપાલિકાના વિકાસ કાર્યોની સમીક્ષા બેઠક યોજાઇ હતી. બેઠકમાં પીવાના પાણીની વિતરણ વ્યવસ્થા સુદ્રઢ બનાવવા, પાણીનો વ્યય થતો અટકાવવા, નલ સે જલ યોજનાની કામગીરી, રસ્તા, સ્ટ્રીટ લાઈટ, ભૂગર્ભ ગટર, રસ્તાઓનું પેચવર્ક, સ્વચ્છતા, ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન સહિતની કામગીરી અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
તમામ પ્રગતિ હેઠળના કામો ત્વરિત પૂર્ણ કરવા તેમજ નવા કામો અંગે જરૂરી આયોજન કરવા કેબિનેટ મંત્રી મુળુભાઇ બેરાએ વહીવટી તંત્રને સૂચનો કર્યા હતાં. આ બેઠકમાં ભાણવડ નગરપાલિકાના વહીવટદાર અને મામલતદાર એ.પી.ચાવડા, ઈ.ચા.ચીફ ઓફિસર રાહુલ કરમુર, તાલુકા વિકાસ અધિકારી એન. એમ. બૈડીયાવદરા, અગ્રણી ગોવિંદભાઈ કનારા, ચેતનભાઈ રાઠોડ, અજય કારાવદરા સહિત નગરપાલિકાના પૂર્વ પદાધિકારીઓ, સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતાં.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationબોર્ડની પરીક્ષામાં બુટ- મોજા પહેર્યા હશે તો એકઝામ હોલની બહાર કાઢવા પડશે
February 24, 2025 10:50 AMટ્રમ્પે USAID ના 2000 કર્મીને કાઢી મુક્યા
February 24, 2025 10:48 AMદ્વારકાની ગોમતી નદીના કિનારે અનોખો સાંસ્કૃતિક અને આધ્યાત્મિક અનુભવ
February 24, 2025 10:42 AMભવનાથ મહાશિવરાત્રી મેળામાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સૌપ્રથમવાર સંશોધન
February 24, 2025 10:41 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech