કલ્યાણપુરના ગ્રામ્ય વિસ્તારની શાળા આચાર્યને નિવૃત્તિ વિદાયમાન

  • July 16, 2024 11:02 AM 

કલ્યાણપુર તાલુકાના બાંકોડી ગામે આવેલી સરકારી તાલુકા શાળાના આચાર્ય ખીમભાઈ બૈડીયાવદરાનો નિવૃત્તિ સન્માન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.


આ કાર્યક્રમમા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ મેરામણભાઈ ગોરીયા, ટી.પી.ઈ.ઓ. જીવાભાઈ હાથલીયા, તાલુકા સંઘના પ્રમુખ કરસનભાઈ રાવલીયા, બાંકોડી ગામના સરપંચ ડાડુભાઈ બૈડીયાવદરા, માજી સરપંચ સામતભાઈ ગોજીયા, મંડળીના મંત્રી રાણાભાઈ, વિગેરે સહિત આચાર્ય અને શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.


ખીમભાઈ બૈડિયાવદરાએ  27 વર્ષ આ શાળામાં શિક્ષક તથા આચાર્ય તરીકે ફરજ બજાવી હતી. આ ઉપરાંત વર્ષોથી પ્રાથમિક શિક્ષક સંઘમાં  શિક્ષકોના પ્રશ્નો માટે પ્રયત્નશીલ રહ્યા હતા. શિક્ષણની સાથે સાથે સમાજ સેવામાં પણ તેઓ અગ્રેસર રહ્યા હતા. આ બદલ ઉપસ્થિત સૌ કોઈએ તેમનું સ્મૃતિચિહ્ન આપી, સાલ ઓઢાડીને સન્માન કર્યું હતું. આ આ સમગ્ર આયોજન માટે બાંકોડી તાલુકા શાળાના સ્ટાફે જહેમત ઉઠાવી હતી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application