શાપરમાં તળાવની પાછળ ભીમનગરમાં નિવૃત પીએસઆઇના પત્નીને આગલા ઘરના પુત્ર-પુત્રવધુ, પુત્રી અને જમાઈએ મળી લાકડી વડે મારમાર્યો હતો. મારા પિતાની મિલકતમાં તારો કોઈ અધિકાર ની. તેમ કહી ઘરેથી નીકળી જવાનું કહી ઝઘડો કર્યા બાદ મારકૂટ કરી હતી. આ અંગે પરિણીતાની ફરિયાદ પર થી શાપર પોલીસે ગુનો નોંધી જરૂરી કરી હતી.
જાણવા મળતી વિગતો મુજબ, શાપરમાં તળાવની પાછળ ભીમનગર શેરી નંબર-૧ માં રહેતા લીલાબેન રામજીભાઈ ચૌહાણ (ઉ.વ ૩૬) દ્વારા શાપર વેરાવળ પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે પોતાના આગલા ઘરના પુત્ર સંજય (રહે ૧૫૦ ફૂટ રીંગ રોડ રૈયા ટેલીફોન ઓફિસની પાછળ, અનામિકા સોસાયટી શેરી નંબર ૨,રાજકોટ) સંજયની પત્ની ચંદ્રિકા આગલા ઘરની પુત્રી નયના રમેશભાઈ ચાવડા અને તેના પતિ રમેશ ચાવડા (રહે પાળ પીપળીયા ખોડલ રેસિડેન્સી) ના નામ આપ્યા છે.
લીલાબેન પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેણે બીએ-એમએ સુધીનો અભ્યાસ કર્યો છે.નવ વર્ષ પૂર્વે તેના બીજા લગ્ન પીએસઆઇ રામજીભાઇ ચૌહાણ સો યા હતા. પતિને આગલા ઘરી પુત્ર સંજય અને પુત્રી નયના હોય જે બંનેના લગ્ન ઈ ચૂક્યા છે અને હાલ પરિણીતાના પતિ નિવૃત્ત હોય જેમનું પેન્શન આવતું હોય તેના પર તેમનું પરિવારનું ગુજરાન ચાલે છે.
ગત તારીખ ૧૨/૪ ના સાંજના સમયે પર લીધા તા તેમના પતિ ઘરે હતા ત્યારે પુત્ર સંજય અને તેની પત્ની ચંદ્રિકા આવી હતી અને જેમ તેમ ગાળો બોલી ઢીકાપાટુનો માર માર્યો હતો. દરમિયાન પતિની તબિયત સારી ન હોય જેી પતિને દીકરી પાળપીપળીયા ગામે ખોડલ રેસિડેન્સીમાં રહેતી હોય તેમના ઘરે મુકવા ગયા હતા. ત્યાંથી નયનાને ફોન કરતા તેણે શાપર સ્તિ ઘરે આવવા માટે કહ્યું હતું બાદમાં અહીં પુત્ર સંજય તેની પત્ની ચંદ્રિકા, નયના અને જમાઈ રમેશ હાજર હોય તે કહેવા લાગ્યા હતા કે, શાપર પાટિયે તું બધા સો વાત કરે છે. તારું ચરિત્ર સારું ની. જેી તું મારા પિતાનું ઘર છોડી જતી રહેજે. નહીંતર તને જાની મારી નાખવી છે. અહીં મારા પિતાની મિલકતમાં તારો કોઈ અધિકાર ની. તેમ કહી સંજય સહિત આ ચારેય શખસો ગાળો આપવા લાગ્યા હતા. સંજય લાફો મારી દીધો હતો અને ચંદ્રિકાએ લાકડી વડે હુમલો કર્યો હતો નયનાએ પણ બે-ત્રણ લાકડીઓ મારી હતી અને જમાઈ કહેતો હતો કે, આને મારો જેી તે અહીંથી જતી રહે આમ આગલા ઘરના પુત્ર, પુત્રવધુ, પુત્રી અને જમાઈ સહિતએ મિલકત બાબતે મારમારતા પરિણીતાએ આ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ચારેય સામે ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવર્લ્ડ બેન્કે માપદંડ બદલતાં ભારતમાં અતિ ગરીબ ૨૭.૧ ટકાથી ઘટીને ૫.૩ ટકા થઈ ગયા
June 07, 2025 04:26 PMતમારા ઘરમાં જૂના કપડા હોય તો રાજકોટ મનપાને આપો, તમને થેલી બનાવી આપશે, જાણો સમગ્ર વિગત
June 07, 2025 04:20 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech