જામનગર શહેરમાં આજથી રસ્તે રઝળતા ઢોરને પકડવાની કામગીરીનો પુન: પ્રારંભ

  • August 10, 2024 10:40 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

૧૫ ઢોરને આબાદ પકડી લેતી જામ્યુકોની ઢોર પકડ શાખા


જામનગર શહેરમાં રસ્તે રઝળતા પશુઓનો ત્રાસ વધી ગયો હોવાથી જામનગર મહાનગરપાલિકા દ્વારા આજથી શહેરમાં ફરીથી ઢોર પકડવા માટેની ઝુંબેશ નો પ્રારંભ કરાયો છે, અને ૧૫ જેટલા રસ્તે રઝળતા ઢોરને પકડી લઈ ઢોરના ડબ્બામાં મોકલી આપવામાં આવ્યા છે.


જામનગર મહાનગર પાલિકાની સોલિડ વેસ્ટ શાખા દ્વારા શહેરમાં જુદી જુદી બે ટીમો બનાવીને રસ્તે રઝળતા ઢોરને પકડવાની કામગીરી શરૂ કરાઇ છે, જેના ભાગરૂપે પંચેશ્વર ટાવર રોડ, હવાઈ ચોક, સહિતના જુદા જુદા વિસ્તારોમાં આજે ઢોર પકડવાની કામગીરી શરૂ કરાઈ હતી. જે ઝુંબેશ અવિરત ચાલુ રાખવામાં આવશે.


હાલ જામનગર મહાનગરપાલિકા સંચાલિત બે ઢોરના ડબામાં કુલ ૪૧૫ ગાયો અને ૧૧૩૨ નંદિની ને રાખવામાં આવ્યા છે, અને તેનો નિભાવ કરવામાં આવી રહ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application