મનપામાંથી ચીફ ફાયર ઓફિસર અમિત દવેનું રાજીનામું

  • October 03, 2024 04:01 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



રાજકોટ મહાપાલિકાની ફાયર બ્રિગેડ શાખાના ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર પદેથી અમિત દવેએ એકાએક રાજીનામુ આપી દેતા સ્ટાફના વર્તુળોમાં ભારે ખળભળાટ મચી ગયો હતો. રાજીનામુ આપવા પાછળ તેમના વ્યકિતગત અને કૌટુંબિક કારણો હોવાનું જણાવી તેમણે સ્વૈચ્છિક રાજીનામું આપ્યું હોવાનું જાહેર કયુ છે. અલબત્ત નવરાત્રી રાસોત્સવના ફાયર એનઓસી મામલે કામનું સતત ભારણ રહેતું હોય અને પૂરતો સ્ટાફ હોય નહીં તેવા કારણોસર તેમણે રાજીનામું આપ્યાની સ્ટાફના વર્તુળોમાં ચર્ચા થતી જોવા મળી હતી.
રાજકોટનાં ટીઆરપી ગેમઝોનમાં ગત તા.૨૫–મેના રોજ આગ ભભૂકી હતી અને તેમાં ૨૭ નિર્દેાષ જીવતા ભુંજાઇ ગયા હતા, જેમાં ફાયર એનઓસી નહીં હોવાને લઇ ચીફ ફાયર ઓફિસર અને ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસરને જેલહવાલે કરાયા હતા. આ પછી તેમની જગ્યાએ કચ્છથી મૂકાયેલા ચીફ ફાયર ઓફિસર લાંચ લેતા ઝડપાઈ જતા તેમને પણ જેલહવાલે કરવામાં આવ્યા હતા ત્યારબાદ અમદાવાદનાં કલાસ–૧ ઓફિસરની નિમણૂક કરવામાં આવી હતી પરંતુ તેમણે ચાર્જ નહીં સંભાળતા ફાયર એનઓસીની કામગીરી લાંબા સમયથી ઠપ્પ હતી જેને લઈ મ્યુનિસિપલ કમિશનર દ્રારા રાજકોટ ફાયર બ્રિગેડના કલાસ–૩ ઓફિસર અમિત દવેને ચીફ ફાયર ઓફિસરનો ચાર્જ સોંપવામાં આવ્યો હતો અને તેમણે ચાર્જ પણ સંભાળી લીધો હતો. જો કે, હવે અમિત દવેએ અંગત કારણોસર રાજીનામું આપી દીધું છે. હાલ તેઓ ૯૦ દિવસના નોટિસ પિરીયડ ઉપર છે.
ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર અમિત દવેનું ૯૦ દિવસમાં રાજીનામું મંજૂર ન થાય તો આપોઆપ તેઓ ફરજ મુકત થશે. રાજકોટ મહાનગરપાલિકાના એક બાદ એક અધિકારીઓ રાજીનામું આપી રહ્યા છે. અત્યાર સુધીમાં ૧૫ જેટલા અધિકારીઓ રાજીનામું આપી ચૂકયા છે. ટીઆરપી અિકાંડ બાદ કોઇ પણ અધિકારી જવાબદારી લેવા માગતા નથી. અમિત દવેએ જણાવ્યું હતું કે, તેમને બ્લડ પ્રેશર અને ડાયાબીટીસ સહિતની બીમારી હોવાને કારણે તેમની તબિયત સારી રહેતી ન હોય તદઉપરાંત તેમના પિતાનું ૧૫ દિવસ પહેલા જ અવસાન થયું છે જેથી હાલ તેમના માતુશ્રીની તબીયત સારી નથી આવા પારિવારિક કારણોસર તેમણે રાજીનામું મૂકયું છે. સ્ટેશન ઓફિસર તરીકેની તેમની રેગ્યુલર જવાબદારીમાંથી પણ રાજીનામું મૂકયું હોવાનું તેમણે ઉમેયુ હતું. તેમણે ઉમેયુ હતું કે ફાયર બ્રિગેડ શાખાના અધિકારીઓ–કર્મચારીઓ ઉપર કામનું ભારણ છે અને સ્ટાફની અછતના કારણે ભારણ છે, તેમના ઉપર કોઇ પણ પ્રકારનું રાજકીય પ્રેશર નથી તેમ જણાવ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application